કોંગ્રેસ-એનસીપીનો સાથ ન મળવા છતા ભાજપ માટે મુસીબત બની શકે છે રાજ ઠાકરે
લોકસભા ચૂંટણી બાદ રાજ ઠાકરેના તેવર ભાજપ માટે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને હવે તે ભાજપ સામે જ ગુજરાતમાં રેલી કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે 2014ની લોકસભા ચૂંટણી પહેલા 2011માં ગુજરાતના પ્રવાસે ગયા હતા. નરેન્દ્ર મોદીએ પોતે તેમને ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યુ હતુ. નવ દિવસના ગુજરાત પ્રવાસ બાદ ઠાકરેએ કહ્યુ હતુ કે ગુજરાત જબરદસ્ત છે. તેમણે એ સમયે કહ્યુ હતુ કે તમે લોકો નરેન્દ્ર મોદીને નેતા તરીકે મેળવીને સૌભાગ્યશાળી છો. પરંતુ લોકસભા ચૂંટણી બાદ રાજ ઠાકરેના તેવર ભાજપ માટે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને હવે તે ભાજપ સામે જ ગુજરાતમાં રેલી કરી રહ્યા છે.

પીએમ મોદીની હિટલર સાથે તુલના
શુક્રવારે નાંદેડમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતા તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે હિટલર ભારતના લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે. જોવાની વાત એ છે કે ભાજપ અને શિવસેના વચ્ચે તનાતની બાદ પણ ઠાકરે અને મોદી વચ્ચે સારા વ્યક્તિગત સંબંધ હતા. છેલ્લા અમુક સમયની વાત કરીએ તો મનસે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યુ છે. એવામાં રાજ ઠાકરેના નિવેદનને સમાચારોમાં રહેવા માટેનું માનવામાં આવી રહ્યુ છે.

ગઠબંધનમાં ન મળી જગ્યા
મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. એનસીપી નેતા શરદ પવાર ઈચ્છતા હતા કે આ ગઠબંધનમાં રાજ ઠાકરેને પણ શામેલ કરવામાં આવે પરંતુ કોંગ્રેસ આના માટે તૈયાર ન થઈ. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે હવે રાજ ઠાકરે નવી રણનીતિ હેઠળ કોંગ્રેસ-એનસીપીના નેતાઓ માટે રેલી કરશે. ગયા મહિને રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે તે લોકસભા ચૂંટણી નહિ લડે પરંતુ તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને મોદી, શાહ અને ભાજપ સામે પ્રચાર કરવા માટે કહ્યુ હતુ. તેમણે પુલવામા, કાશ્મીર, નોકરી, આતંકવાદ વિશે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

વિધાનસભા ચૂંટણી છે લક્ષ્ય
મનસેના નેતાનું કહેવુ છે કે પાર્ટીના પ્રમુખ જે સવાલ ઉઠાવી રહ્યા છે તે લોકોને વિચારવા માટે મજબૂર કરશે. મનસેનો મુંબઈ, ઠાણે, નાસિકમાં સારો પ્રભાવ છે, અહીં 2009માં પાર્ટીએ 13 સીટો જીતી હતી. પાર્ટીને એ વાતનો વિશ્વાસ છે કે આ રીતના પ્રચારથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને લાભ મળશે. ઠાકરેએ પહેલા જ પાર્ટીના કાર્યકર્તાઓને કહી દીધુ છે કે તે વિધાનસભા ચૂંટણી માટે પ્રચારમાં લાગી જાય.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
