Rajasthan Assembly Election 2023: રાજસ્થાનના યોગી, જાણો કોણ છે બાબા બાલકનાથ?

Rajasthan Assembly Election 2023: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ તો રાજસ્થાનમાં બાબા બાલકનાથ યોગી છે, આ બંને મહંત, ભાજપ નેતા અને રાજનીતિના દિગ્ગજ ખેલાડી છે. ઉત્તર પ્રદેશના યોગી મુખ્યમંત્રી છે, રાજસ્થાનના યોગી અલવરના સાંસદ છે. રાજસ્થાનમાં તો ભાજપના બાબા બાલકનાથ પર વિધાનસભા ચૂંટણી 2023માં પણ દાવ રમ્યો છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં ભાજપે અલવર જિલ્લાની તિજારા બેઠક પરથી બાબા બાલકનાથ યોગીને ટિકિટ આપી છે. કોંગ્રેસે તેમની સામે મુસ્લિમ ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં રાજસ્થાન વિધાનસભાની 200 બેઠકોમાંથી તિજારા બેઠક પણ હાઈપ્રોફાઈલ બેઠકોમાંથી એક બની ગઈ છે.

Who is Mahant Balaknath Yogi

નોંધનીય છે કે, રાજસ્થાન વિધાનસભાની તમામ 200 બેઠકો માટે એક તબક્કામાં 25 નવેમ્બરના રોજ મતદાન છે. મતગણતરી 3 ડિસેમ્બરના રોજ થશે. આજે 1 નવેમ્બરે મહંત બાલકનાથ ઉમેદવારી નોંધાવી છે. ખાસ વાત એ છે કે, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ તેમની સાથ આપવા આવ્યા હતા.

કોણ છે મહંત બાલકનાથ? -

  • મહંત બાલકનાથનો જન્મ 16 એપ્રિલ 1984ના રોજ અલવર જિલ્લાના બેહરોરના કોહરાના ગામમાં સુભાષ યાદવ અને ઉર્મિલા દેવીને ત્યાં થયો હતો.
  • બાળપણમાં તેમના પરિવારે તેમને શિક્ષણ અને સેવા માટે મસ્તનાથ આશ્રમમાં છોડી દીધા હતા.
  • બાલકનાથે આશ્રમમાં રહીને આધ્યાત્મિક અભ્યાસ અને શિક્ષણ પૂર્ણ કર્યું. બાલકનાથ નાથ સંપ્રદાયના 9મા મુખ્ય મઠાધિપતિ બન્યા.
  • મહંત ચાંદનાથે તેમના મૃત્યુના બે વર્ષ પહેલા 2016માં બાલકનાથને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા.
  • 2018 માં મહંત ચાંદનાથના મૃત્યુ પછી જ્યારે તેઓ અલવરના સાંસદ હતા, ત્યારે ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં બાલકનાથને ટિકિટ આપી હતી.
  • જેમાં બાલકનાથને 7 લાખ 60 હજાર મત મળ્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભંવર જિતેન્દ્રનો પરાજય થયો હતો.
  • હાલમાં મહંત બાલકનાથ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ, અલવરના સાંસદ અને ગદ્દીનશીન મઠ અસ્થલ બોહર રોહતક છે.

વધુ વોટિંગના નિવેદનમાં ફસાયા - મહંત બાલકનાથ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં હેડલાઇન્સમાં છે. હાલમાં જ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે ગામડાઓમાં મતદારોની સંખ્યા વધવાની વાત કરતા જોવા મળ્યા હતા. જેના પર ચૂંટણી પંચે બાલકનાથને નોટિસ આપી હતી.

મુસ્લિમ ચહેરો - ભાજપે રાજસ્થાનમાં પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં તિજારાથી અન્ય છ સાંસદો સાથે બાલકનાથને ટિકિટ આપી હતી. અહીં કોંગ્રેસે બાલકનાથ સામે મુસ્લિમ ચહેરો રજૂ કર્યો છે. કોંગ્રેસે તિજારાથી ઈમરાન ખાનને ટિકિટ આપી છે, જેઓ બસપા છોડીને એક દિવસ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X