પીએમ મોદીની જીત માટેના કલ્યાણ સિંહના નિવેદનને ECએ માન્યુ આચાર સંહિતાનું ઉલ્લંઘન
આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ મોદીની જીત માટે આપેલા એક નિવેદન બાદ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહની મુસીબતો વધી શકે છે.
આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ મોદીની જીત માટે આપેલા એક નિવેદન બાદ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહની મુસીબતો વધી શકે છે. લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની જીત વિશે આપેલા કલ્યાણ સિંહના નિવેદનને ચૂંટણી કમિશને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યુ છે. ચૂંટણી કમિશને આ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાણ કરવા માટે એક પત્ર લખશે. કલ્યાણ સિંહના આ નિવેદન પર ઘણા રાજકીય પક્ષોએ વાંધો વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીની જીત વિશે આપ્યુ હતુ નિવેદન
ભાજપે અલીગઢથી ફરીથી ઉમેદવાર રૂપે સતીશ ગૌતમના નામની ઘોષણા કરી. આ વિશે ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી હતી અને એ દરમિયાનજ 23 માર્ચે અલીગઢમાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે કહ્યુ હતુ, ‘અમે બધા ભાજપ કાર્યકર્તા છે અને અમે ઈચ્છીએ છીએ કે ભાજપ જ ચૂંટણી જીતે. અમે ઈચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને એ દેશ માટે બહુ જરૂરી છે.'

કલ્યાણ સિંહના આ નિવેદન પર ગરમાયુ હતુ રાજકારણ
કલ્યાણ સિંહના આ નિવેદન પર દેશનું રાજકારણ ગરમાયુ હતુ. વિપક્ષી દળોએ કલ્યાણ સિંહના આ નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો હતો. જ્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને કહ્યુ હતુ, ‘રાજ્યપાલનું પદ એક બંધારણીય પદ હોય છે, એક લોકતંત્રમાં રાજ્યપાલને નિષ્પક્ષતા અને બધા પક્ષોથી અંતર જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે.' ચૂંટણી કમિશમે ગયા અઠવાડિયે યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)એ આ કેસમાં તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે.

ત્યારે... ગુલશેર અહેમદને રાજ્યપાલના પદેથી આપવુ હતુ રાજીનામુ
આ પહેલા 90ના દશકમાં કોઈ રાજ્યપાલ દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તે સમયે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ ગુલશેર અહેમદને મધ્યપ્રદેશમાં તેમના પુત્ર સઈદ અહેમદ માટે ચૂંટણી પ્રચાર કરતા જોવામાં આવ્યા હતા. ચૂંટણી કમિશને આના પર વાંધો વ્યક્ત કર્યો હતો અને આ વિશે ઘણો વિવાદ થયો હતો તે બાદ ગુલશેર અહેમદે પોતાના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
