સચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ ફરીથી કરવી પડશે અરજી, કાલે સુનાવણી
કોંગ્રેસના સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને જારી નોટિસ સામે તેમણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો જેના પર આજે સુનાવણી થઈ.
રાજસ્થાન સરકાર અને સત્તારુઢ કોંગ્રેસ પાર્ટીનુ રાજકીય સંકટ અટકવાનુ નામ લેતુ દેખાઈ રહ્યુ નથી. કોંગ્રેસના સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો દ્વારા વિદ્રોહી વલણ અપનાવવા અને મુખ્યમંત્રી અશોક ગહેલોતની બેઠકમાં શામેલ ન હોવા માટે 18 ધારાસભ્યોને નોટિસ જારી કરવામાં આવી હતી જેની સામે હવે તેમણે રાજસ્થાન હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કેસમાં સચિન પાયલટ તરફથી વકીલ હરીશ સાલ્વે હાજર થયા. હરીશે વિધાનસભા સ્પીકર તરફથી ધારાસભ્યોને જારી નોટિસને ગેરબંધારણીય ગણાવીને તેને ફગાવી દેવાની માંગ કરી.

માહિતી મુજબ જસ્ટીસ સતીશચંદ્ર શર્માની બેેંચમાં ગુરુવારે કેસની સુનાવણી થઈ. સચિન પાયલટ જૂથ તરફથી દાખલ આ અરજી પર ઑનલાઈન સુનાવણી કરવામાં આવી હતી. લેટેસ્ટ માહિતી મુજબ સચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ ફરીથી અરજી દાખલ કરવી પડશે ત્યારબાદ સુનાવણી કાલ સુધી ટાળી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટમાં વિદ્રોહી ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાની 61 પેજની અરજી સુનાવણી માટે લિસ્ટેડ થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ સચિન પાયલટ અને અન્ય વિદ્રોહી ધારાસભ્ય અરજીકર્તા પોતાની અરજીમાં અમુક ફેરફાર કરવા માંગે છે. આ ઉપરાંત તે કેસને ડબલ બેંચ સામે રાખવા ઈચ્છે છે. પાયલટ જૂથની સાથે સાથે રાજસ્થાન હાઈકોર્ટે વિધાનસભા અધ્યક્ષ અને રાજ્ય સરકાર તરફથી દાખલ કેવિયેટ પર પણ સુનાવણી કરી. સ્પીકર તરફથી કોર્ટમાં કોંગ્રેસ નેતા અને સીનિયર વકીલ કપિલ સિબ્બલ અને સીએમ અશોક ગહેલોત તરફથી અભિષેક મનુ સંઘવી બેંચ સમક્ષ હાજર થયા હતા.
તમને જણાવી દઈએ કે કોગ્રેસ દ્વારા સચિન પાયલટને કેબિનેટથી બહાર ગયા બાદ પણ પાર્ટીને વાપસીની આશા છે. કોંગ્રેસે બુધવારે કહ્યુ હતુ કે સચિન પાયલટ માટે હજુ પણ પાર્ટીના દરવાજા ખુલ્લા છે, જો તે ભાજપમાં શામેલ ન થવા ઈચ્છતા હોય તો સામે આવે અને પોતાની વાત ખુલીને રાખે. પાર્ટી તરફથી જારી નિવદનોમાં સ્પષ્ટ રીતે પાયલટ માટે નરમ વલણ દેખાઈ રહ્યુ છે.
Abhishek Manu Singhvi to represent Rajasthan Assembly Speaker at the High Court. The matter will be heard at 3 pm today. https://t.co/6qqAJ3kgtk
— ANI (@ANI) July 16, 2020
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
