સરકારી વકીલનો દાવો: બાળપ્રેમી છે આસારામ, જામીન અરજી નકારી કાઢી
જોધપુર, 1 ઓક્ટોબર: કિશોરી સાથે યૌન શોષણના કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામને હાઇકોર્ટમાં પણ રાહત મળી નથી. રાજસ્થાન હાઇકોર્ટે આજે (મંગળવારે) તેમની જામીન અરજીને નકારી કાઢી હતી. અત્યારે આસારામને જેલમાં જ રહેવું પડશે. આસારામ માટે જામીન અરજીની ભલામણ દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણી કરી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે આસારામ બાળકો સાથે યૌન શોષણ કરતા હતા. સાથે કહ્યું હતું કે આસારામ પિડોફાઇલ છે.
ગત સુનાવણી પર આસારામ તરફથી વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ આસારામ નિર્દોષ હોવાના મુદ્દે કેટલાક વધુ સાક્ષી અને શપથ પત્ર રજૂ કરવા માટે એક ઓક્ટોબરનો સમયનો સમય આપવાનો આગ્રહ કર્યો હતો.

તો બીજી તરફ સોમવારે એક સ્થાનિક કોર્ટે આસારામ અને તેમના રાજદાર શિવાની ન્યાયિક કસ્ટડી 11 ઓક્ટોબર સુધી વધારી દિધી હતી. જિલ્લા તથા સત્ર ન્યાયાધીશે અન્ય મુખ્ય આરોપી શિલ્પીની પોલીસ કસ્ટડી વધુ ત્રણ દિવસ વધારી દિધી છે. આ ત્રણેય આરોપીઓને જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યા હતા. આ દરમિયાન આસારામના સમર્થક નારેબાજી કરી રહ્યાં હતા અને ધરપકડનો વિરોધ કરી રહ્યાં હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આસારામના સમર્થક મીડિયાકર્મીઓ સાથે બાખડી પડ્યા હતા.
આ કેસમાં આસારામને એક સપ્ટેમ્બરના રોજ અને તેના થોડા દિવસો બાદ તેમના સહયોગી શિવાની ધરપકડ કરવામાં આવી હતી. શિલ્પીએ ગત અઠવાડિયે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. શિલ્પી પર 16 વર્ષની છોકરીને મનાઇ આશ્રમમાં મોકલવાની વ્યવસ્થા કરવાનો આરોપ છે જ્યાં આસારામે ઓગષ્ટમાં તેનું શારિરીક શોષણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસમાં આસારામના વિરૂદ્ધ એક 16 વર્ષની કિશોર છોકરીએ ફરિયાદ દાખલ કરાવી કે જોધપુર આશ્રમમાં તાજેતરમાં જ આસારામે તેનું યૌન શોષણ કર્યું છે. જો કે આસારામ આ આરોપોથી સ્પષ્ટ મનાઇ કરી ચૂક્યાં છે અને તેમને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
