For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવની હત્યા દેશની આત્મા પર હુમલોઃ મનમોહન સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી દેવાના નિર્ણય અંગે વડાપ્રધાન મનમોહન સિંહએ ઉંડી નિરાશા વ્યક્ત કરી છે. વડાપ્રધાન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દોષીઓને છોડી મુકવાનો નિર્ણય કાયદા વિરુદ્ધ છે. તેમણે રાજીવ ગાંધીની હત્યાને દેશની આત્મા પર હુમલો ગણાવ્યો છે.

manmohan-singh-pm-india
1991માં લિટ્ટેના મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કેસમાં એક મહિલા અને છ પુરુષોને મુક્ત કરવાના તમિળનાડુ સરકારના નિવેદન પર પ્રહાર કરતા મનમોહન સિંહે કહ્યં કે, સરકરા અથવા પાર્ટીઓને આતંકવાદીઓ પર હળવાશ રાખવી જોઇએ નહીં. રાજીવ ગાંધી અને અન્ય બીજા નિર્દોષ લોકોની હત્યાના દોષી છૂટી ગયા તો ન્યાયનો સિદ્ધાંત પ્રભાવિત થશે. જયલલિતા સરકારનો દોષિયોને છોડી મુકવાનો નિર્ણય કાયદાકિય રીતે ખોટો છે.

બીજી તરફ, કાયદા મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે, આશા છે કે, સુપ્રીમ કોર્ટ અમારી યાચિકા પર ટૂંક સમયમાં સુનાવણી કરશે. નિરાશાજનક વાત એ છે કે પાર્ટીઓ આતંકવાદના મુદ્દે બેવડું વલણ અપવાની રહ્યાં છે.

જ્યારે મનીષ તિવારીએ કહ્યું કે આ નિર્ણય કાયદાની વિરુદ્ધ છે. અમે આ મામલાને ગંભીરતાથી લઇએ છીએ. રાજીવ ગાંધીની હત્યાં કોઇ સાધારણ વાત નહોતી. અમને આશા છે કે, આ મામલામાં પક્ષાપક્ષીના રાજકારણ પરથી ઉપર ઉઠીને નિર્ણય લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવ્યો હતો, તેનાથી અમે સહમત નથી. જે પગલાં ભરવા જોઇતા હતા તે ભરી રહ્યાં છીએ.

English summary
Describing the assassination of former prime minister Rajiv Gandhi as an "attack on the soul of India", Prime Minister Manmohan Singh Thursday said the government is moving a review petition in the Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X