રાજનાથ મળશે સુષમા સ્વરાજને, કરી શકે છે પીએમ પદ મુદ્દે ચર્ચા

ઉલ્લેખનીય છે કે ભાજપાનો આંતરિક કલેહ સૌની સામે છે. એકબાજુ કર્ણાટકની સરકારને લઇને પાર્ટી ચિંતામાં છે, જ્યારે પાર્ટીની ગુટબાજી એક મોટી સમસ્યા બનીને સામે આવી રહી છે. ત્યાંજ આરએસએસના ચિંતક એમજી વૈદ્યએ પોતાના બ્લોગ પર આ અંગે ખુલાસો કરી ચૂક્યા છે.
એમજી વૈદ્યએ આશંકા વ્યક્ત કરી હતી કે નિતિન ગડકરીનું અધ્યક્ષ પદ છોડવું એ કેટલાક નેતાઓનું કાવતરાનું પરિણામ હતું. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ સુષમા સ્વરાજને પ્રધાનમંત્રી પદ માટે યોગ્ય ગણાવ્યા છે. શિવસેનાએ દિવંગત બાળા સાહેબ ઠાકરેને યાદ કરતા જણાવ્યું કે તેમણે જ સુષમા સ્વરાજને પ્રધાનમંત્રી બનાવવાના પક્ષમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
એનડીએ ગઠબંધનના સૌથી મોટા ઘટક ભાજપમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનંત્રી પદના ઉમ્મેદવાર જાહેર કરવાની માંગે જોર પકડ્યું છે. આની વચ્ચે શીવસેનાએ આ ચર્ચામાં કૂદીને પાર્ટીને એક નવી દીશામાં પહોંચાડી દીધી છે. જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની ભલામણ કરી છે.
તેમના ઉપરાંત યશવંત સિંહાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "અમે જ્યાં પણ જઇએ છીએ ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી 2014 માટે પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગણી કરવામાં આવી રહી છે. જેના કારણે લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર તરીકે ભાજપે આગળ કરવા જોઇએ. જ્યાં સુધી સાથી પક્ષ જેડીયુનો પ્રશ્ન છે એ પછીથી જોઇ લેવામાં આવશે. મોદીને ટોચના પદ માટે અત્યારથી ઉમેદવાર ઘોષિત કરવાથી પાર્ટીને લાભ થશે"












Click it and Unblock the Notifications
