Rajouri Encounter : રાજૌરીમાં બે આતંકી ઠાર, ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Rajouri Encounter : જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ સામે કડક કાર્યવાહી થઇ રહી છે. શુક્રવારના રોજ ફરી એકવાર સુરક્ષાકર્મીઓએ બે આંતકવાદીઓને ઠાર કર્યા છે.
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં 2 આતંકવાદી ઠાર થયા હતા અને એક અધિકારી પણ ઘાયલ થયા હતા.

શુક્રવારના રોજ રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.
જવાનોએ ચાર્જ સંભાળી લીધો અને આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતો. ઉલ્લેખનીય છે કે, આ એન્કાઉન્ટરમાં સેનાનો એક અધિકારી ઘાયલ થયો છે. ઘાયલ અધિકારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પૂંચમાં આતંકી હુમલા બાદથી ખીણમાં આતંકીઓ વિરુદ્ધ સેનાની કાર્યવાહી સતત ચાલી રહી છે. બુધવાર, ગુરુવાર અને હવે શુક્રવારે સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું છે. ઘાટીમાં આતંકી હુમલાના ઇનપુટ બાદ સેનાએ સતત મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એલર્ટ મોડમાં સેના સતત આતંકીઓનો ખાત્મો કરી રહી છે.
ઘાટીમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળો અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહારા વિસ્તારમાં ગુરુવારના રોજ પણ આતંકી હુમલો થયો હતો.
આતંકવાદીઓએ પોલીસ દળ પર હુમલો કર્યો, જેમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. આ ઘટના બાદ હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આતંકીઓ હાલમાં ક્યાં છે. હુમલા બાદ પોલીસ દળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું હતું.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
