Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદી, વાજપેઇને છોડી જેઠમલાણીએ BJP સંસદીય બોર્ડ પર કર્યો કેસ, માગ્યું કરોડોનું વળતર

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીમાંથી બેદખલ કરવામાં આવેલા વરિષ્ઠ વકિલ રામ જેઠમલાણીએ બીજેપી સંસદીય બોર્ડના નિર્ણયની સામે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં તેમણે માંગ કરી છે કે તેમનું પાર્ટીમાંથી સસ્પેન્સન તાત્કાલિક રદ કરવામાં આવે. જેઠમલાણીએ નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેઇ ઉપરાંત સંસદીય બોર્ડના તમામ સભ્યો પાસે 50-50 લાખ રૂપિયાનું વળતર પણ માગ્યું છે.

દાખલ કરવામાં આવેલી આ અરજીમાં જેઠમલાણીએ 11 સભ્યોવાળા બોર્ડના 9 સભ્યોને પ્રતિવાદી બનાવતા દરેક પાસેથી 50 લાખ રૂપિયાનું વળતર પણ માગ્યું છે. એટલે કે બીજેપીએ આ અનુસાર 4.5 કરોડ રૂપિયાનું વળતર આપવું પડશે.

jethmalani
જેઠમલાણીએ જણાવ્યું છે કે તેમનું સસ્પેન્સન સંવિધાનની વિરુદ્ધ છે અને આ તેમને બદનામ કરવા માટે કરવામાં આવ્યું છે. જેઠમલાણી મોદીના ખાસ માનવામાં આવે છે, અને કહેવાય છે કે બીજેપી તરફથી રાજ્યસભાની બેઠક તેમને મોદીના કહેવાથી જ મળી હતી.

રાજ્ય સભા સાંસદ અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી અનુશાસનહીનતાના મામલા પર મે 2013માં વીજળીમાંથી નીકાળવામાં આવ્યા હતા. મે 2013માં બીજેપી સંસદીય બોર્ડે જેઠમલાણીને છ વર્ષ માટે બીજેપીનું પ્રાથમિક સભ્યપદથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમની પર પાર્ટીના લોકસભા અને રાજ્યસભામાં નેતા સુષમા સ્વરાજ અને અરૂણ જેટલીની વિરુદ્ધ ટીકાટિપ્પણી કરવાનો આરોપ હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X