બિહારમાં નવા સમીકરણ, પાસવાન નીતિશ કુમાર સાથે હાથ મિલાવશે
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: બિહારમાં હવે રાજકીય સમીકરણ બદલાવવાનાન હોય એવા સંકેત આવી રહ્યાં છે. જેડીયૂ અને ભાજપનો સંબંધ તૂટ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એલજેપીને પોતાના પક્ષમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
બિહારના રાજકારણમાં નવા સમીકરણ બની રહ્યાં છે. લાલૂ પ્રસાદ યાદવનો સાથ છોડીને રામવિલાસ પાસવાને નીતિશ કુમાર સાથે નાતો જોડવાના સંકેત આપ્યા છે. બિહારમાં ભાજપ સાથે ગઠબંધ તૂટ્યા બાદ જેડીયૂને નવા નવા સાથીઓની શોધ હતી. માનવામાં આવે છે કે તે લોકસભાની ચૂંટણીમાં એલપેજી સાથે લડી શકે છે.
જો કે બિહારમાં રામવિલાસની એલપેજી પાસે એક પણ લોકસભા સાંસદ નથી. ખુદ રામવિલાસ પાસ લાલૂ પ્રસાદ યાદવના સમર્થનથી રાજ્યસભાના સાંસદ બનેલા હતા. એલજેપીએ સંકેત આપ્યા છે કે જેડીયૂથી વાંધો નથી. તો બીજી તરફ જેડીયૂના પ્રધાન મહાસચિવના સી ત્યાગીએ સીધે સીધુ કંઇ કહ્યું નથી પરંતુ રામવિલાસ પાસવાનની જોરદાર પ્રશંસા કરી હતી.