વિદેશી નાણું પાછુ લાવે તો જ મોદીને સમર્થન : બાબા રામદેવે
નવી દિલ્હી, 4 જાન્યુઆરી : બાબા રામદેવ શરૂઆતથી જ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક રહ્યા છે. પાર્ટી તરફથી મોદીને પીએમપદના ઉમેદવાર તરીકે જાહેર કરતા પહેલા રામદેવે કહ્યુ હતુ કે જો મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બનશે નહીં તો ભાજપને તેઓ ટેકો આપશે નહીં.
બાબા રામદેવે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે અમારા કેટલાક મુદ્દા છે જેમાં કાળા નાણાંનો મુદ્દો સામેલ છે. વિદેશી બેંકોમાં એટલી રકમ પડેલી છે કે જો તેનો યોગ્ય ઉપયોગ ભારતમાં લાવીને કરવામાં આવે તો દેશના દરેક ગામના હિસ્સામાં કરોડો રૂપિયા આવશે. આ રૂપિયાથી ભારતના દરેક ગામને વિકસિત કરી શકાશે. યોગના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર રામદેવે કહ્યુ હતુ કે મોદી બ્લેકમની પરત લાવવાનું વચન આપશે તો તેઓ મોદીને ટેકો આપશે. મોદીએ પહેલાથી જ કાળા નાણાંને પરત લાવવાની વાત કરી છે. બાબા રામદેવે દિલ્હીમાં યોજાનારી રેલીને લઈને ધણા મુદ્દા પર વાત કરી હતી.