હરિદ્વારમાં રામદેવના નિસર્ગોપચાર કેન્દ્રમાં ભિષણ આગ, કરોડોનું નુકસાન
બાબા રામદેવના નિસર્ગોપચાર કેન્દ્રમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં આખું મેડિકલ સેન્ટર ગટ્ટ થઈ ગયું હતું. 2009 માં બાબા રામદેવે 70 કરોડના ખર્ચે આ અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબી કેન્દ્ર
બાબા રામદેવના નિસર્ગોપચાર કેન્દ્રમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં આખું મેડિકલ સેન્ટર ગટ્ટ થઈ ગયું હતું. 2009 માં બાબા રામદેવે 70 કરોડના ખર્ચે આ અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબી કેન્દ્રનું નિર્માણ કર્યુ હતું. આગ જંગલની તણખાથી હોવાનું મનાય છે. બાબા રામદેવના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. વળી, બાબા રામદેવના સાથીદાર આચાર્ય બાલકૃષ્ણએ તેના ટ્વીટર હેન્ડલ ઉપર અકસ્માતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, 'રવિવારે રાત્રે આઠ વાગ્યે હરિદ્વારના યોગગ્રામમાં આવેલા નેચરોપથી સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો રાજ્યોને નિર્દેશ- સખ્તાઈથી લૉકડાઉન લાગૂ કરાવો, ઉલ્લંઘન કરનારાઓ સામે એક્શન લો












Click it and Unblock the Notifications
