રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિરઃ રાજનાથ સિંહ
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બની શકે છે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે કાયદો કેમ નથી બની શકતો. જેના પર ગૃહમંત્રી રાજનાથ સિંહે જવાબ આપ્યો છે.
રામ મંદિર અંગે હાલમાં હિંદુવાદી સંગઠન ઘણા સક્રિય થઈ ગયા છે. એક વાર ફરીથી મંદિર બનાવવાના મુદ્દાએ ઘણુ જોર પકડી લીધુ છે. આરએસએસના વરિષ્ઠ નેતા દત્તાત્રેય હોસબાલે સવાલ ઉઠાવ્યો કે જ્યારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બની શકે છે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે કાયદો કેમ નથી બની શકતો. જેના પર ગૃહમંત્રી રાજનાથ સિંહે જવાબ આપ્યો છે.

‘રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિર'
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રાજનાથ સિંહે કહ્યુ કે એમાં કોઈ શંકા નથી કે પટેલજીની મૂર્તિ ઘણી સુંદર અને ભવ્ય બની છે. જો હોસબાલે આ કહી રહ્યા છે કે રામ મંદિર બનવુ જોઈએ તો અમને તેમાં કોઈ વાંધો નથી અને હવે આ વાત પર બીજા કોઈને પણ વાંધો હોવો જોઈએ. હું બસ અત્યારે એટલુ જ કહુ છુ કે રામલલ્લાનો વનવાસ હવે જલ્દી ખતમ થશે, મંદિર જલ્દી બનશે અને શાંતિ-સૌહાર્દથી બનશે. રાજનાથ સિંહે આ નિવેદન રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યુ.

મંદિર ન બન્યુ તો કરી લઈશ આત્મવિલોપનઃ સ્વામી પરમહંસ દાસ
ગૃહમંત્રીએ વટહુકમના વિકલ્પના સવાલ પર કહ્યુ કે મારે જે કહેવાનું હતુ તે કહી દીધુ, મંદિર બનશે તો ભવ્ય બનશે. તમને જણાવી દઈએ કે રામ મંદિર નિર્માણમ માટે આમરણાંત ઉપવાસ કરી ચૂકેલા સ્વામી પરમહંસદાસ એક દિવસ પહેલા સરકારને ડેડલાઈન આપતા કહ્યુ છે કે જો 5 ડિસેમ્બર સુધી સરકાર રામ મંદિર નિર્માણ પર કોઈ ઠોસ પહેલ નહિ કરી શકે તો તે 6 ડિસેમ્બરે બપોરે 12 વાગે આત્મવિલોપન કરી લેશે.

લાખોની સંખ્યામાં નાગા સાધુઓ પહોંચી રહ્યા છે અયોધ્યા
યોગ ગુરુ બાબા રામદેવે પણ કહ્યુ છે કે હાલમાં કેન્દ્ર અને યુપી બંને જગ્યાએ ભાજપની સરકાર છે. જો હવે મંદિર ન બન્યુ તો જનતાનો ભરોસો સરકાર પરથી ઉઠી જશે. તમને જણાવી દઈએ કે બાબરી ધ્વંસની વરસી પહેલા 4-5 ડિસેમ્બરે લાખોની સંખ્યામાં નાગા સાધુ અયોધ્યા પહોંચી રહ્યા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
