200 મહિલાઓ સાથે બળાત્કાર કરનારાઓને મળી માત્ર 10 વર્ષની સજા

રામ મડઇયા વસ્તીની કહાણી એકદમ દર્દનાક છે. વસ્તીવાળા પોતે ન્યાયની લડાઇ લડવા માટે મજબૂર છે. વસ્તીના લોકોનો ગુસ્સો 5મે 2012ની અડધી રાત્રે તે સમયે ફૂટી પડ્યો, જ્યારે રતન લોહારે વસ્તીની એક છોકરી સાથે બળજબરી કરી રહ્યો હતો. છોકરીની ઇજ્જત સાથે ખિલવાડ થતાં જોઇએ લોકોએ તેમના ઘર પર હુમલો બોલી દિધો. બીજી તરફ અપરાધીના ઘરેથી તાબડતોડ ગોળીઓ ચાલવા લાગી, તેમછતાં વસ્તીના લોકોએ તેના ઘરમાં ઘૂસીને તોડફોડ શરૂ કરી દિધી. વસ્તીની 12 મહિલાઓએ રતન પર વસ્તીની મહિલાઓ સાથે વર્ષોથી દુષ્કર્મ કરવાનો કેદ દાખલ કરાવ્યો અને તેને જેલ મોકલી આપ્યો.
વસ્તીની લગભગ બસો મહિલાઓને હવશનો શિકાર બનાવી ડર ફેલાવવાના આરોપમાં કુખ્યાત અપરાધી રતન લોહારને સરાયકેલા કે એડીજે વન ગિરીશચંદ્ર સિંહાને દસ વર્ષની સશ્રમ જેલની સાથે 50 હજાર રૂપિયા રોકડ દંડનો ફેંસલો સંભળાવ્યો છે. વસ્તીવાસીઓની સાથે મળીને રતન લોહારની વિરૂદ્ધ લડી રહેલા બનેવી રાજેન્દ્ર કર્મકારે જણાવ્યું કે બુધવારની સાંજ જેમ જ એડીજે વને સજા સંભળાવી, રતન લોહાર કોર્ટથી બહાર આવતાં તેને ખુલ્લી ધમકી આપી કે અપીલ બેલમાં બહાર અવી રહ્યો છું, વસ્તીમાં લાશોના ઢગલા કરી દઇશ. રાજેન્દ્ર કર્મકારે રતન લોહારને સજા અપાવવા માટે બધા સાક્ષીઓને સુરક્ષિત કોર્ટ લાવીને સાક્ષી કરવવાની જવાબદારી સંભાળી હતી.
વસ્તીવાસીઓનું કહેવું છે કે તેને જેવા દુષ્કર્મો કર્યા છે, તે મુજબ આ સજા ઓછી છે. ગુરૂવારે હજારો મહિલા-પુરૂષોએ બેઠક કરી આ નિર્ણય લીધો છે કે તે હવે ઉપલી કોર્ટમાં નિચલી કોર્ટના ચૂકાદાને પડકાર આપશે. આવા કુખ્યાત અપરાધીને ઓછામાં ઓછી આજીવન જેલ અથવા ફાંસીની સજા આપવાની માંગણી કરશે.
વસ્તીના લોકોને ગુલામ બનાવીને રાખતો હતો કુખ્યાત રતન
રતન લાહોર વસ્તીમાં કોલસાનો ગેરકાનૂની વેપાર, સ્થાયી મુર્ગાપાડા અને સ્ક્રેપ ચાલતો હતો. તે વસ્તીના લોકોને ગુલામ બનાવીને રાખતો હતો. વસ્તીવાસીઓના અનુસાર રતન લોહાર દરરોજ વસ્તીની કોઇને કોઇ મહિલા તથા યુવતીની સાથે દુષ્કર્મ કરતો હતો. રાજકીય સંરક્ષણ પ્રાપ્ત હોવાથી તે રતન લોહાર એક પ્રકારે વસ્તીમાં તાલિબાની સામ્રાજ્ય ચાલતું હતું. તેના માટે લોકોને મારવા સામાન્ય વાત હતી. વસ્તીવાળાઓને કહ્યું કે વિરોધ કરનારાઓને હત્યા પણ કરી દેતો હતો.
અફસોસ આપણા દેશમાં
- આ આપણા દેશનું દુર્ભાગ્ય જ છે જ્યાં નિયમ કાયદા આટલા કાયદા કડક હોવાછતાં આજે પણ મહિલાઓ આ પ્રકારના અપરાધીઓની હવસનો શિકાર બની રહી છે.
- રાજકીય સંબંધોના લીધે આવા અપરાધી પોતાની મનમાની કરતાં આવ્યા છે. આવા બળાત્કારીને કઠોર સજા મળવા છતાં સામાન્ય સજા આપી શકાય છે.
- આ ઘટનાથી ખબર પડે છે કે મહિલાઓની સુરક્ષાને લઇને આજ સુધી કોઇ નકકર પગલાં ભરવામાં આવ્યા નથી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
