આરબીઆઇ બોર્ડની અરુણ જેટલી સાથે બેઠક, મોટું એલાન થઇ શકે છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે કેન્દ્ર સરકાર ઘ્વારા રજુ કરવામાં આવેલા અંતરિમ બજેટ માટે અંતરિમ લાભાંશ જાહેર કરવાનું એલાન કરી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે કેન્દ્ર સરકાર ઘ્વારા રજુ કરવામાં આવેલા અંતરિમ બજેટ માટે અંતરિમ લાભાંશ જાહેર કરવાનું એલાન કરી શકે છે. આરબીઆઇ બોર્ડ પહેલા 6 મહિનામાં થયેલી કુલ કમાણીને આધારે આ વાતની નિર્ણય લેશે કે સરકારને કેટલું અંતરિમ લાભ જાહેર કરવું જોઈએ. બજેટ જાહેર થયા પછી નાણામંત્રી અરુણ જેટલી આરબીઆઇ બોર્ડ સાથે બેઠક કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બેઠક પછી તેઓ અંતરિમ લાભાંશ જાહેર કરી શકે છે. તેના સિવાય પણ તેઓ બીજા કેટલાક એલાન કરી શકે છે.

વર્તમાન નાણાકીય વર્ષ માટે આરબીઆઈનો ઇન્ટરિમ ડિવિડન્ડ નિર્ણાયક છે. છેલ્લા નાણાકીય વર્ષમાં, આરબીઆઈ દ્વારા કેન્દ્ર સરકારને 10000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. બજેટ રજૂ કરતી વખતે, પિયુષ ગોયલે તેમના સંબોધનમાં કહ્યું હતું કે સરકારે તેનો લક્ષ્યાંક 3.4 થી ઘટાડીને 3.3 કર્યો છે. 2018-19 માં કેન્દ્રીય બેંકના નાણાકીય સ્થિતિ જોતાં, સરકાર ત્યાં શું આરબીઆઇ પાસેથી 28000 કરોડની ડિવિડન્ડ પ્રાપ્ત કરી શકાય છે.
આ પણ વાંચો: જાણો આરબીઆઇ નિર્ણય પછી તમારા હોમ લોનની EMI કેટલી ઓછી થશે
આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટું એલાન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સૌથી અગત્યની છે. આ યોજના હેઠળ તે ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની પેંશન આપવામાં આવશે, જેમની પાસે 2 હેકટરથી ઓછી ખેતી લાયક જમીન છે. સરકારે તેની સાથે સાથે સ્ટાન્ડર્ડ કાપ 40 હજારથી વધારીને 50 હજાર સુધી કરી નાખ્યો છે.












Click it and Unblock the Notifications
