આંધ્ર પ્રદેશની ફાર્મા કંપનીમાં રિએક્ટર વિસ્ફોટ, 15 લોકોના મોત
Andhra Pradesh pharma company Reactor explosion: આંધ્રપ્રદેશના અચ્યુતાપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં એશિયા કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે.
આ અગાઉ 4 લોકોના મોત અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ ઘટના લંચ દરમિયાન બની હતી. જેના કારણે અનેક કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓ હાલ ઘટનાસ્થળે હાજર છે.
ઘટનાસ્થળના ફોટોગ્રાફ્સમાં એમ્બ્યુલન્સ કંપનીના પરિસરમાં ધસી આવતી દેખાઈ રહી છે. જેમાં લોકો નાક ઢાંકી રહ્યા છે. કારણ કે વિસ્તારમાં ધુમાડો ફેલાઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ઘાયલોને તાત્કાલિક તબીબી સંભાળ માટે અનાકાપલ્લે એનટીઆર હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વિસ્ફોટમાં લગભગ તમામ લોકો ઘાયલ થયા હતા.
ઘટના સ્થળે ફાયર ફાઈટીંગ ઓપરેશન ચાલુ છે, અને ઈમારતની અંદર ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે ઈમરજન્સી સેવાઓ કાર્યરત છે. અમે પરિસ્થિતિને સંભાળવા અને અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છીએ. ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
