જાણો, કેવી રીતે લખવામાં આવી સરબજીતની મોતની સ્ક્રિપ્ટ
ભારતીય ગુપ્તચર એજન્સીઓની તપાસમાં એ સ્પષ્ટ જાણવા મળ્યું છે કે હુમાલાના દોષી કસાબને ફાંસી આપવામાં આવેલી ફાંસી બાદ સરબજીત સિંહને મારવારની રણનિતી બનાવવામાં આવી હતી. સરબજીત સિંહ પર હુમલો કરનાર મુદશર અને આમિર આફતાબ તરહરીક-એ-તાલિબાન સાથે સંકળાયેલા છે અને લશ્કર માટે કામ કરે છે.
બંને 2005 અને 2009થી ગંભીર કેસમાં આ જેલમાં બંધ છે. રિપોર્ટમાં એમપણ કહેવામાં આવે અફજલ ગુરૂની ફાંસીની સજા બાદ તાલિબાને લશ્કર પર દબાણ વધાર્યું કે સરબજીત પર હુમલો કરાવવામાં આવે.
એ વાતની સંભાવના વ્યક્ત કરાવવામાં આવી રહી છે કે પાકિસ્તાનમાં ચુંટણી બાદ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ ત્યાં જવાના હતા અને આ દરમિયાન સરબજીત સિંહની મુક્તિ પર વિચાર કરવામાં આવી શકત.
પાકિસ્તાનની હૂકૂમત એક રીતે લાચાર અને ઢીલી-ઢાલી છે. સ્પષ્ટ છે કે આ સમયને પસંદ કરવામાં લશ્કર અને તહરીક-એ-તાલિબાનના આકાઓએ મોડું ના કર્યું અને કોટ લખપત જેલમાં બંધ પોતાના લોકોને અંજામ આપવાના નિર્દેશ આપ્યા.
કોણે કરાવ્યો હુમલો?
સરબજીત સિંહ પર હુમલાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ સ્વિકાર્યું છે કે તેમને જેલ સુપરિન્ટેન્ડેટના કહેવા પર આ ભારતીય કેદી પર હુમલો કર્યો હતો, જ્યારે લાહોરના ડીઆઇજીએ પોતાના રિપોર્ટમાં આ હુમલાની કારણ અચાનક કેદીઓ વચ્ચે બદલાની ભાવનાથી થયેલી હાથાપાઇ ગણાવી છે.
અગાઉથી ઘડેલું કાવતરું
આ દરમિયાન એવા સમાચાર મળ્યા કે સરબજીત સિંહ પર હુમલો લશ્કર-એ-તોઇબાની સમજી વિચારેલું કાવતરું હતું.
ભારતીય ગુપ્તચર એજન્સીઓની ગોપનિય રિપોર્ટમાં આ ખુલાસો કર્યો. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં લાહોરના ડીઆઇજીના રિપોર્ટને નકારી કાઢ્યો.
પાકિસ્તાને જાણકારી છુપાવી
પાકિસ્તાન સતત સરબજીત સિંહ વિશે જાણકારી છુપાવી રહ્યું છે. જિન્ના હોસ્પિટલના ડોક્ટરોએ પહેલાં સરબજીતને 'બ્રેન ડેડ' જાહેર કર્યો પછી થોડા કલાકો બાદ સ્પષ્ટતા રજૂ કરી કે સરબજીત 'બ્રેન ડેડ' નથી.
પાકિસ્તાન પર પહેલાંથી એવો શક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તે સરબજીત સિંહના મોત અંગે કંઇક છુપાવે છે.
મંગળવારે એસસી-એસટી કમીશનના અધ્યક્ષ રાજકુમાર વીરકાએ જણાવ્યું કે તેમની દલબીર કૌર સાથે વાતચીત થઇ છે. ડોક્ટરોએ તેમને સરબજીત 'બ્રેન ડેડ' હોવાની જાણકારી આપી છે.
સરબજીત સિંહના વકીલના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ પુછ્યું કે શું સરબજીતને વેંટિલેટરથી હટાવવામાં આવે તો પરિવારજનોએ ના કહ્યું હતું. સરબજીતને વેન્ટિલેટર પર જ રાખવામાં આવે. આવા સમયે જો પરિવાર વેંટિલેટરથી હટાવવાની પરવાનગી આપી છે તો સરબજીતની મોતનું એલાન થઇ શકે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ








Click it and Unblock the Notifications
