પીએમ મોદીની આયુષ્માન ભારત યોજનાને 5 મુખ્યમંત્રીઓએ કેમ ‘ના' કહી?
દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ‘આયુષ્માન ભારત'થી દેશના પાંચ રાજ્યોએ પોતાને અળગા રાખ્યા છે.
દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 'આયુષ્માન ભારત' નો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડની રાજધાની રાંચીથી કર્યો. પરંતુ આયુષ્માન ભારત યોજનાથી દેશના પાંચ રાજ્યોએ પોતાને અળગા રાખ્યા છે. આ પાંચ રાજ્યો તેલંગાના, ઉડીસા, દિલ્હી, કેરળ અને પંજાબ છે. આ રાજ્યોનું કહેવુ છે કે તે ત્યાં સુધી આ યોજનાનો હિસ્સો નહિ બને જ્યાં સુધી તેમને આનાથી સારી યોજના મળી ન જાય.

આયુષ્માન ભારત યોજનાથી 5 રાજ્યોએ અંતર જાળવ્યુ
આયુષ્માન ભારત યોજનામાં શામેલ ન થવાના નિર્ણય પર પીએમ મોદીએ ઓડિશાના સીએમ નવી પટનાયક પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે દરેક જણ આ યોજનાનું મહત્વ સમજે છે પરંતુ સીએમ નવીન પટનાયક કદાચ નથી સમજતા. તેમણે કહ્યુ કે નવીન પટનાયક આ યોજનાને નજરઅંદાજ કરીને ઓડિશાના લોકોને આના લાભથી વંચિત કરી રહ્યા છે.

આયુષ્માન ભારત યોજના માટે જંગ
નવીન પટનાયકે કહ્યુ કે તેમના રાજ્યમાં બીજુ સ્વાસ્થ્ય કલ્યાણ યોજના પહેલેથી જ ચાલી રહી છે જેમાં આયુષ્માન ભારતથી વધુ લોકોને જોડવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે જ્યાં પહેલેથી જ સારી આરોગ્ય સેવાઓ ચાલી રહી છે તેવા ઓડિશા પર એવા આરોપ લગાવવાના બદલે પીએમ મોદીએ તેલના વધતા ભાવો પર ધ્યાન આપવુ જોઈએ. તેલંગાનાએ પણ કહ્યુ કે તેમના રાજ્યમાં ચાલતી આરોગ્યશ્રી યોજના રાજ્યની 70 વસ્તી સુધી પહોંચી ચૂકી છે જ્યારે આયુષ્માન ભારત માત્ર 80 લાખ લોકોને લાભ આપશે.

રાજ્યોનો દાવો, આનાથી સારી આરોગ્ય યોજનાઓ પહેલેથી ચાલી રહી છે
મોદી સરકારનો દાવો છે કે આ યોજનાનો લાભ લગભગ 50 કરોડ લોકોને મળશે. તેલંગાના, પંજાબ, દિલ્હી અને ઓડિશાએ આ યોજના સાથે જોડાવાનો ઈનકાર કરી દીધો છે. કેરળના એક મંત્રીએ પણ આ યોજના અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. જ્યારે દિલ્હીમાં આ પ્રકારની મોટી યોજના નથી પરંતુ સરકારે કહ્યુ કે આ દિલ્હીની માત્ર 3 ટકા વસ્તીને જ કવર કરશે. પંજાબનું પણ આ યોજના અંગે આ જ કહેવુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પલટવાર કરતા કહ્યુ કે દિલ્હી સરકારનો નિર્ણય તેમની સંકુચિત માનસિકતા દર્શાવે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
