જયપાલ રેડ્ડીએ નવા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો

jaipal-reddy
નવીદિલ્હી, 29 ઑક્ટોબરઃ કેન્દ્ર સરકાર દ્વારા નવા મંત્રીમંડળની રચના કરવામાં આવ્યા બાદ પૂર્વ પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ સોમવારે પોતાના નવા મંત્રાલય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. વિભાગની જવાબદારી સંભાળ્યા બાદ રેડ્ડીએ કહ્યું કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય મહત્વનું મંત્રાલય છે. તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, નવાં મંત્રાલયમાં આવીને તે ઘણા ખુશ છે.

અત્રે એ વાત નોંધનીય છે કે આ પહેલા એવી ચર્ચા હતી કે રેડ્ડી પેટ્રોલિયમ મંત્રાલય પદ પરથી દૂર કરવામાં આવ્યા બાદ નારજ હતા અને તના કારણે તે પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીને કાર્યભાર સોંપવા માટે આવ્યા નહોતા. રેડ્ડીના સ્થાને આરપીએન સિંહએ મોઇલીને કાર્યભાર સોંપ્યો હતો.

એત્રે ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડો. મનમોહન સિંહના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા રવિવારે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી. જેમાં ફેરબદલ કરીને રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને આ કાર્યભાર વીરપ્પા મોઇલની સોંપવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X