કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધશે
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ દ્વાર આ અંગેની એક દરખાસ્ત નાણા મંત્રાલયની પાસે મોકલવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે આ માટે મંજૂરી આપી દીધી છે. હવે આ દરખાસ્ત વડાપ્રધાન કાર્યાલયમાં ગઇ છે. વડાપ્રધાન કાર્યાલય બાદ કેબિનેટની મંજૂરી મળતા જ આ અંગેની જાહેરાત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 2 મહિનાનો સમય લાગી શકે એમ છે.
આ પહેલા વાજપેયી સરકારે વર્ષ 1998માં કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષથી વધારીને 60 કરી હતી. આ પાછળનું મુખ્ય કારણ સરકાર રિટાયર્નમેન્ટને કારણે એક જ વારમાં કર્મચારીઓને ચૂકવવું પડતું વળતર છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વર્ષે અંદાજે 5000 કરોડ રૂપિયાની બચત થશે. આ બચતનો ઉપયોગ સરકાર ખાદ્ય સુરક્ષા જેવી લોકોને આકર્ષતી યોજનાના અમલ પાછળ કરશે. આ સાથે સરકાર એક તીરથી બે નિશાન તાકવા માંગે છે. બચત કરવાની સાથે આવતા વર્ષે આવી રહેલી ચૂંટણીઓમાં કેન્દ્ર સરકારમાં કાર્યરત 15 લાખ કર્મચારીઓને પણ આકર્ષવા માંગે છે.