લાલૂના ભાઇ રામકૃપાલ યાદવે પાર્ટીના તમામ પદો પરથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી, 8 માર્ચ: રાષ્ટ્રીય જનતા દળના નેતા અને રાજ્યસભા સાંસદ રામકૃપાળ યાદવે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દિધું છે. રામકૃપાલ યાદવ રાજ્યસભાના સાંસદ યથાવત રહેશે અને હજી સુધી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું નથી. રામકૃપાલ યાદવે આ જાહેરાત આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના તે નિવેદનની પૃષ્ટિભૂમિમાં કર્યું છે જેમાં પુત્રી મીસાના પ્રસ્તાવ પર તેમણે કહ્યું હતું કે ચાલુ રેસમાં ઘોડો બદલી ના શકાય.

જો કે રામકૃપાલ યાદવ બિહારના પાટલિપુત્ર સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ આરજેડી પ્રમુખે બે દિવસ પહેલાં 25 સીટો માટે ઉમેદવારો જે યાદી જાહેર કરી હતી તેમાં રામકૃપાલ યાદવનું નામ ન હતું અને પાટલિપુત્ર સીટ પરથી પુત્રી મીસા ભારતીને ઉમેદવાર બનાવી હતી.

ram-kripal-yadav

આરજેડી પ્રમુખના આ વ્યવહારથી દુખી થઇને રામકૃપાલ યાદવે પાર્ટી છોડવાના સંકેત આપી દિધા અને પછી મીસાએ પોતાના કાકાના ઘરે જઇને તેમને મળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મીસાની મુલાકાત રામકૃપાલ યાદવ સાથે થઇ શકી નથી. મીસાનું કહેવું છે કે જો પાટલિપુત્ર સીટ છોડવાની કાકા માની જાય છે તો તેમણે તેમાં કોઇ વાંધો નથી. પરંતુ લાલૂએ મીસાના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.

રામકૃપાલ યાદવે કહ્યું હતું કે તે તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યાં છે. મીસાએ આગ્રહને મે સ્વિકારી લીધો હતો પરંતુ લાલૂ પ્રસાદ યાદવે સ્પષ્ટપણે મનાઇ કરી દિધી. એટલા માટે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવ સિવાય મારી પાસે કોઇ વિકલ્પ ન હતો. આરજેડી સમાજ નહી, પરિવાર વિશે વિચારે છે. પાર્ટી રસ્તાથી ભટકી ગઇ છે. મારી સાથે ઇમોશનલ અત્યાર થયો છે. હું મારા કાર્યકર્તાઓ સાથે વાત કરી શ અને પછી કોઇ નિર્ણય લઇશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X