વાઢેરા ગોટાળો નહીં આ તો 3G ગોટાળો છે: ભાજપ
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા વિરૂદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટે અરજી મંજૂર કરી લીધી છે. આ કેસ સુનાવણી 21 ઑક્ટોબરના રોજ થશે. કોર્ટે સરકારને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. અરવિંદ કેજરીવાલે વાઢેરા પર ભષ્ટ્રાચારના આરોપો લગાવ્યા છે.
કેજરીવાલના જણાવ્યા મુજબ ગુડગાંવમાં 30 એકર જમીન પર હોસ્પિટલ બનાવવાની હતી પરંતુ હરિયાણા સરકારે જમીન પર નોટિફિકેશન જાહેર કરી દિધી જેના કારણે જમીન પર ડીએલએફનો કબજો થઇ ગયો અને આ બધુ રોબર્ટ વાઢેરાના ઇશારા પર થયું તેમને પણ આ ડીલમાં નફો મેળવ્યો છે. તે આ કેસમાં 50 ટકા ભાગીદાર હતા. એટલું જ નહી વાઢેરા હંમેશા સોનિયા ગાંધીના જમાઇ હોવાનો ફાયદો ઉઠાવ્યો છે ત્યારે તો તેમની સંપત્તિ પાંચ લાખમાંથી 300 કરોડ થઇ ગઇ.
કેજરીવાલ બાદ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચોટાલાએ પણ કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. તેમને પણ શંકા વ્યક્ત કરી છે કે વાઢેરાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરી ગુડગાંવને અડીને આવેલા મેવાત વિસ્તારની મૂલ્યવાન જમીનમાંથી મોટો નફો મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસ અને હરિયાણા સરકારે કેજરીવાલના બધા જ આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે.