For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહિત મર્ડર કેસઃ પત્ની અપૂર્વાએ પિયરમાં કેમ કરાવ્યુ હતુ તાંત્રિક પાસે અનુષ્ઠાન

રોહિત શેખર હત્યાકાંડ વિશે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે ખબર પડી છે કે અપૂર્વાએ ઈન્દોર જઈને રોહિત સાથે સંબંધો સુધારવા માટે તંત્ર મંત્રની શરણ લીધી હતી.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત એન ડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યા મામલે પત્ની અપૂર્વા શુક્લા તિવારીને દિલ્લીની સાકેત કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. તે તિહાર જેલમાં છે. આ હત્યાકાંડ વિશે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે જાણવા મળ્યુ છે કે અપૂર્વાએ ઈન્દોર જઈને રોહિત સાથે સંબંધો સુધારવા માટે તંત્ર મંત્રની શરણ લીધી હતી. અપૂર્વાની મા મંજુલા શુક્લા અનુસાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થયા બાદ અપૂર્વા પોતાના ઘરે ઈન્દોર આવી ગઈ હતી. તે 3 થી 29 માર્ચ સુધી પિયરમાં રહી હતી. આ દરમિયાન અપૂર્વાની મા મંજુલાએ કોઈના કહેવા પર એક તાંત્રિકનો સંપર્ક કર્યો.

આ પણ વાંચોઃ Pics: સની દેઓલે સુવર્ણ મંદિરમાં ટેકવ્યુ માથુ, આજે ગુરદાસપુરમાં કરશે નામાંકનઆ પણ વાંચોઃ Pics: સની દેઓલે સુવર્ણ મંદિરમાં ટેકવ્યુ માથુ, આજે ગુરદાસપુરમાં કરશે નામાંકન

પારિવારિક કલેશ સુધારવા માટે અપૂર્વાએ તાંત્રિક સાથે કરાવ્યુ હતુ અનુષ્ઠાન

પારિવારિક કલેશ સુધારવા માટે અપૂર્વાએ તાંત્રિક સાથે કરાવ્યુ હતુ અનુષ્ઠાન

પોલિસ સૂત્રોના જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવા બાદ અપૂર્વા ગયા માર્ચમાં પોતાના પિયર ઈન્દોર ગઈ હતી. આ દરમિયાન અપૂર્વાની માએ કોઈના કહેવા પર એક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. તેમણે તાંત્રિકને જણાવ્યુ હતુ કે પુત્રીના ઘરમાં કલેશ ચાલી રહ્યો છે. બધી વાત સાંભળ્યા બાદ તાંત્રિકે શાંતિ માટે વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરાવ્યુ હતુ પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહિ.

અપૂર્વાની માએ પણ કર્યા ચોંકાવનારા ખુલાસા

અપૂર્વાની માએ પણ કર્યા ચોંકાવનારા ખુલાસા

મીડિયા સાથે વાત કરીને અપૂર્વાની મા મંજૂલા શુક્લાએ કહ્યુ કે રોહિત બહુ દારૂ પીતો હતો. તે ઘરની નોકરાણી સાથે પણ દારૂ પીતો હતો. પુત્રી અપૂર્વા જ્યારે રોકતી તો તેને પણ દારૂ પીવાનું કહેતો. મંજુલાએ જણાવ્યુ કે રોહિતનું એક મહિલા સાથે અફેર હતુ જેના માટે પણ અપૂર્વા ઘણી હેરાન રહેતી હતી.

રોહિતને ‘માનો લાડલો' કહેતી હતી અપૂર્વા

રોહિતને ‘માનો લાડલો' કહેતી હતી અપૂર્વા

રોહિતની મા ઉજ્વલાએ જણાવ્યુ કે લગ્નના થોડા દિવસો બાદ જ રોહિતને છોડીને ગયા બાદ અપૂર્વાએ રોહિતને 2 વાર કાનૂની નોટિસ મોકલી. તે રોહિતને ‘માનો લાડલો' કહેતી હતી. તે કહે છે કે અત્યાર સુધી જે કંઈ પણ પુરાવા સામે આવ્યા અને અપૂર્વાએ ગુનો કબુલ્યો છે તેના પરથી શંકાને કોઈ સ્થાન જ નથી. રોહિતનું રહસ્યમય હાલતમાં મોત થયા બાદ અપૂર્વાએ મીડિયાને કહ્યુ હતુ કે તે હવે એ જ ઈચ્છે છે કે રોહિતની આત્માને શાંતિ મળે.

અપૂર્વાના ચહેરા પર પસ્તાવો

અપૂર્વાના ચહેરા પર પસ્તાવો

એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે ધરપકડ થયા બાદ અપૂર્વાના ચહેરા પર પસ્તાવો જોવા મળી રહ્યો છે. બે દિવસની પોલિસ પૂછપરછ દરમિયાન અપૂર્વાનો વ્યવહાર ઘણો સંતુલિત અને વિચિત્ર રહ્યો. તે ક્યારેક પોતાની કરતૂત પર હેરાન થઈને પસ્તાવો કરવા લાગતી તો ક્યારેક એકદમ ગુમસુમ થઈને કંઈક વિચારવા લાગે છે. કુલ મળીને તેની મનોસ્થિતિ પતિની હત્યા બાદ આત્મગ્લાનિની છે.

English summary
Rohit Shekhar Murder Case: Wife Apoorva Shukla made rituals from tantrik to improve relations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X