Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રોહિત મર્ડર કેસમાં અપૂર્વા વિશે મા ઉજ્વલાએ કર્યા સનસનીખેજ ખુલાસા

યુપી અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ એન ડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યા મામલે પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ બાદ હવે આ કેસ સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી વાતો પોલિસ સામે આવી રહી છે.

યુપી અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ એન ડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યા મામલે પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ બાદ હવે આ કેસ સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી વાતો પોલિસ સામે આવી રહી છે. હત્યાના કેસમાં રોહિતની મા ઉજ્વલાએ શરૂઆતમાં જ પોલિસને જણાવી દીધુ હતુ કે રોહિત અને અપૂર્વાના સંબંધો ઠીક નહોતા અને બંને બહુ જલ્દી છૂટાછેડા લેવાના હતા. હવે ઉજ્વલાએ રોહિત શેખર મર્ડર કેસ વિશે વધુ મોટા ખુલાસા કર્યા છે. ઉજ્વલાએ જણાવ્યુ કે તેમણે પોતાના રોહિતને અપૂર્વા વિશે બહુ પહેલા જ ચેતવણી આપી દીધી હતી પરંતુ તેણે તેમની વાતો પર ધ્યાન ન આપ્યુ.

‘માનો લાડલો કહીને ચિડાવતી હતી અપૂર્વા'

‘માનો લાડલો કહીને ચિડાવતી હતી અપૂર્વા'

રોહિત શેખર મર્ડર કેસ વિશે તેની મા ઉજ્વલાએ ગુરુવારે નવા ખુલાસા કરતા જણાવ્યુ, ‘મે પોતાના દીકરાને અપૂર્વા શુક્લા વિશે બહુ પહેલા ચેતવણી આપીને સતર્ક કર્યો હતો પરંતુ તેણે મારી વાત ન માની. રોહિતની હત્યા કરીને અપૂર્વાએ મારા આખા પરિવારને ખતમ કરી દીધો. લગ્નના થોડા દિવસો પછી જ અપૂર્વા ગયા વર્ષે મે આસપાસ રોહિતને છોડીને જતી રહી હતી. ત્યારબાદ અપૂર્વાએ રોહિતને બે કાયદાકીય નોટિસ મોકલી. અપૂર્વાને એ વાતનો વાંધો હતો કે રોહિત પોતાની મા એટલે કે મને ખૂબ પ્રેમ કરતો હતો. તે ઘણીવાર રોહિતને માનો લાડલો કહીને ચિડાવતી હતી.'

‘કાયદાકીય નોટિસમાં આપી હતી ધમકી'

‘કાયદાકીય નોટિસમાં આપી હતી ધમકી'

રોહિતની મા ઉજ્વલાએ આગળ જણાવ્યુ, ‘અપૂર્વાએ રોહિતને મોકલેલી નોટિસમાં ધમકી આપી હતી કે જો તેણે તેની સાથે સમજૂતી ના કરી તો તે રોહિત સામે ક્રિમિનલ કે સિવિલ એક્શન લેશે. આ નોટિસોમાં અપૂર્વાએ તેના ઉપર નિરાધાર અને ખોટા આરોપ લગાવ્યા હતા અને આ બધુ તેણે એ સમયે કર્યુ જ્યારે રોહિત હોસ્પિટલમાં ભરતી હતો.' ઉજ્વલાએ જણાવ્યુ કે ગયા વર્ષે 12 સપ્ટેમ્બરના રોજ રોહિતની એક સર્જરી થઈ હતી અને આગલા દિવસે ઉજ્વલા પોતાના વકીલ વેદાંત વર્માના ઘરે અપૂર્વાને મળવાની હતી. તે અપૂર્વાની રાહ જોઈ રહી હતી કે રોહિતે તેને ફોન કરીને જણાવ્યુ કે તે પોતાની પત્ની સાથે સમજૂતી કરી ચૂક્યો છે.

‘અપૂર્વા કહેતી હતી, પરિવારને છોડી કેમ નથી દેતા'

‘અપૂર્વા કહેતી હતી, પરિવારને છોડી કેમ નથી દેતા'

ઉજ્વલાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યુ, ‘તે વખતે અપૂર્વાએ ખૂબ હેરાન કર્યા. મે એને કહ્યુ કે રોહિત અત્યારે હોસ્પિટલમાં છે અને એટલા માટે તે અમારા વકીલના ઘરે મને મળવા માટે તૈયાર થઈ. પરંતુ પછી રોહિતે મને જણાવ્યુ કે તેમણે સમજૂતી કરી લીધી છે. મે તેને કહ્યુ કે તે આવુ કેમ કર્યુ? તે પરસ્પર સંમતિ અને ત્યાં સુધી મેઈન્ટેનન્સના આધાર પર છૂટાછેડા લઈ શકતી હતી. લગ્નના પહેલા દિવસથી જ અપૂર્વાને મારાથી, રોહિતના ભાઈ રાજીવથી અને તેના પરિવારથી જે અમારી ઘણી નજીક હતા તેનાથી પ્રોબ્લેમ હતો. તે ઘણીવાર રોહિતને માનો લાડલો કહીને ચિડાવતી અને તેને કહેતી કે તુ તારો પરિવાર છોડી કેમ નથી દેતો.'

રોહિત કેમ નહોતો થવા ઈચ્છતો અપૂર્વાથી અલગ

રોહિત કેમ નહોતો થવા ઈચ્છતો અપૂર્વાથી અલગ

રોહિતની માએ જણાવ્યુ, ‘મારા દીકરાએ અપૂર્વા સાથે એ વખતે સમજૂતી કરી લીધી કારણકે તે ઈચ્છતો હતો કે તેના પિતા (એન ડી તિવારી) શાંતિપૂર્વક પોતાની અંતિમ યાત્રામાં જાય. તેણે મને કહ્યુ હતુ કે અમારા પરિવારમાં આમ પણ ઘણા વિવાદ છે, જો હું મારી પત્નીથી અલગ થઈશ તો વિવાદ વધશે. મને તેને જૂન સુધીનો સમય આપવા દો. બની શકે કે તે બદલાઈ જાય. વાસ્તવમાં ડૉક્ટરોએ અમને બતાવી દીધુ હતુ કે રોહિતના પિતા પાસે હવે વધુ સમય નથી બચ્યો અને એટલા માટે તે પોતાના પિતાની પ્રતિષ્ઠા ખરાબ કરવા નહોતો ઈચ્છતો.' તમને જણાવી દઈએ કે યુપી અને ઉત્તરાખંડના સીએમ રહી ચૂકેલ એન ડી તિવારીનું બિમારી બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં નિધન થઈ ગયુ હતુ.

પહેલા અપૂર્વા સાથે લગ્ન નહોતો કરવા ઈચ્છતો રોહિત

પહેલા અપૂર્વા સાથે લગ્ન નહોતો કરવા ઈચ્છતો રોહિત

ઉજ્વલાના જણાવ્યા મુજબ, ‘પોતાના પરિવાર પ્રત્યે રોહિતના લગાવ માટે અપૂર્વાને એ વખતે પણ પ્રોબ્લેમ હતો જ્યારે બંનેના લગ્ન પણ નહોતા થયા અને બંને પ્રેમ સંબંધમાં હતા, એટલા માટે બંનેએ ડિસેમ્બર 2017માં એક બ્રેક લેવાનો નિર્ણય કર્યો. અહીં સુધી કે તે દરમિયાન રોહિતે નિર્ણય કર્યો હતો કે તે અપૂર્વા સાથે લગ્ન નહિ કરે. જો કે ત્યારબાદ 2 એપ્રિલે તેણે મને બોલાવી અને કહ્યુ કે તે અપૂર્વ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. અમે 3 એપ્રિલે રોહિતના લગ્ન માટે કોઈ બીજી છોકરીને મળવાના હતા પરંતુ જ્યારે તેણે મને આ વાત કહી તો હું એની વાત માની ગઈ. અપૂર્વાએ રોહિતને કહ્યુ કે તે એને બહુ પ્રેમ કરે છે અને તેના માટે તેણે ઘણા મંદિરોમાં પ્રાર્થના કરી છે. આ વાતો સાંભળીને રોહિતની દિલ પિગળી ગયુ.'

‘તે દિવસે કારમાં બીજા પણ લોકો હતા'

‘તે દિવસે કારમાં બીજા પણ લોકો હતા'

રોહિતની માએ આગળ જણાવ્યુ, ‘હવે એ જ અપૂર્વા મનઘડંત કહાનીઓ, કે રોહિત પોતાની ભાભી સાથે એક જ ગ્લાસમાં દારૂ પીતો હતો, દ્વારા મારા દીકરાની છબીને ખરાબ કરવાની કોશિશ કરી રહી છે. તે એક મોડર્ન અને શિક્ષિત મહિલા છે, તે આ રીતના વિચારો કેવી રીતે રાખી શકે છે. એક પરિવારની અંદર ઘણી વાર લોકો એક જ ગ્લાસથી પાણી કે બીજી વસ્તુઓ પી લે છે. તે દિવસે એ કારમાં માત્ર રોહિત અને તેની ભાભી જ નહોતા પરંતુ બીજા લોકો પણ હાજર હતા. જો રોહિત વિશે અપૂર્વા આટલી પઝેસીવ હતી તો સપ્ટેમ્બરમા થયેલી સર્જરી બાદ 6 મહિનાની રિકવરી દરમિયાન તેણે એકલો કેમ છોડી દીધો હતો?'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X