રોહતક : આશ્રમ મુદ્દે તણાવ સર્જાયો, સૈનિકો તૈનાત

આ વિસ્તારમાં હાલમાં પણ તંગદીલી વ્યાપી છે. આ તરફ અહીંના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ મામલે મેજિસ્ટ્રેટ તપાસનાં આદેશ આપ્યાં છે. રોહતકમાં ગુસ્સે ભરાયેલા ગામવાસીઓએ હરિયાણા રોડવેઝની બે બસ અને એક એમ્બ્યુલન્સને આગ લગાડી દીધી છે. એક દારૂની ભટ્ટીને પણ આગનાં હવાલે કરી દેવાઈ છે. આવતા-જતા વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.
આ કેસમાં અંદાજે એક ડઝન આર્ય સમાજનાં લોકની અટકાયત કરાઈ છે. આ સિવાય આર્ય પ્રતિનિધિ સભા હરિયાણાનાં સંરક્ષક આચાર્ય બલદેવની પણ અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ આખોય ઝઘડો રોહતકનાં કરૌથા ગામમાં ઉપસ્થિત સતપાલ આશ્રમને લઈને થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ બે મહિના પહેલા સંત રામપાલ મહારાજને સતલોક આશ્રમનો કબજો સોંપાયો હતો પરંતુ સ્થાનિક લોકો અને આર્ય સમાજનાં લોકો આનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે સંત રામપાલે ખોટી રીતે જમીનનું રજિસ્ટ્રેશન કરાવી અહીં આશ્રમ બનાવ્યો છે. તેમનો એ પણ આરોપ છે કે આશ્રમમાં અનૈતિક અને ખોટા કામો થઈ રહ્યા છે જેનાથી ગામનું વાતાવરણ દૂષિત થાય છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
