મુસલમાનો બાદ LGBTQ સમાજ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહી મોટી વાત
દિલ્હીમાં થયેલા પોતાના કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે LGBTQ સમાજ એ સમાજનો જ એક ભાગ છે અને તેને અલગ ન કરી શકાય.
હજુ થોડા સમય પહેલા જ સુપ્રિમ કોર્ટે 157 વર્ષ જૂની આઈપીસીની કલમ 377 ના એક ભાગને હટાવીને બે વયસ્કો વચ્ચે સંમતિથી બનેલા સમલૈંગિક યૌન સંબંધોને પરવાનગી આપી તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) એ આ ચૂકાદા પર પોતાની સંમતિ વ્યક્ત કરી પરંતુ સંઘ આ પ્રકારના સંબંધો હોવા પર પોતાના દ્રષ્ટિકોણને વળગી રહ્યુ કે સમલૈંગિક સંબંધો પ્રકૃતિને અનુરૂપ નથી. હવે દિલ્હીમાં થયેલા પોતાના કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે LGBTQ સમાજ એ સમાજનો જ એક ભાગ છે અને તેને અલગ ન કરી શકાય. સંઘ પ્રમુખના આ નિવેદનની ઘણા લોકો પ્રશંસા કરી રહ્યા છે.

LGBTQ સમાજનો હિસ્સો
ભવિષ્યનું ભારત - આરએસએસનો દ્રષ્ટિકોણ કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે સમય બદલાઈ રહ્યો છે અને સમાજે પણ આવા મુદ્દાઓ પર વિચાર કરવાનો રહેશે. પરંતુ તેમણે એ પણ કહ્યુ કે સમલૈંગિક અધિકાર જ એકમાત્ર મુદ્દો નથી જેના પર ચર્ચા થવી જોઈએ અન્ય પણ ઘણી વસ્તુઓ છે.

સમલૈંગિકતાની વિરુદ્ધમાં રહ્યુ છે સંઘ
આરએસએસ પારંપરિક રીતે સમલૈંગિકતાની વિરુદ્ધમાં રહ્યુ છે પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયના ચૂકાદા સાથે તેની સંમતિને એક મહત્વપૂર્ણ બદલાવ રૂપે જોવામાં આવી રહ્યુ છે. 2016 માં એક કાર્યક્રમમાં વરિષ્ઠ આરએસએસ નેતા દત્તાત્રેય હોસબોલેને સમલૈંગિકતા પર આપેલા પોતાના નિવેદન બાદ તેના પર સ્પષ્ટતા કરવી પડી હતી. હોસબોલેએ કહ્યુ હતુ કે સેક્સની પસંદગી કરવી દરેકનો પોતાનો પર્સનલ મામલો છે અને તે ગુનો નથી. તે લોકોની પર્સનલ વાત છે. પરંતુ આગલા દિવસે જ દત્તાત્રેયે કહ્યુ કે સમલૈંગિકોને સજા આપવાની જરૂર નથી પરંતુ તે માનસિક વિકૃતિની બાબત છે. સમલૈંગિક લગ્નોને માન્યતા ન આપવી જોઈએ. આના પર રોક લગાવવી જોઈએ.

બદલાવના ઘણા અર્થ
ભવિષ્યનું ભારત - આરએસએસનો દ્રષ્ટિકોણ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ઘણા એવા નિવેદન આપ્યા જેના માટે કહેવામાં આવી રહ્યુ છે કે હવે સંઘ પણ સમય સાથે કંઈક બદલાવ તરફ જઈ રહ્યો છે. મોહન ભાગવતના એ નિવેદનની પણ ચર્ચા છે જેમાં તેમણે ભારતમાં મુસલમાનો વિના હિંદુત્વને અધુરુ ગણાવ્યુ છે. હવે સમલૈંગિકતા પર તેમના નિવેદનને પણ લોકો સકારાત્મક લઈ રહ્યા છે. વળી, ઘણા લોકોનું એમ પણ કહેવુ છે કે સંઘના આ નિવદનો માત્ર ચૂંટણીના કારણે આપવામાં આવ્યા છે. જો ખરેખર આરએસએસ બદલાવ ઈચ્છતુ હોય તો તેણે પોતાના બધા સંગઠનોમાં બદલાવ કરવો પડશે જેના લોકો અવારનવાર ભડકાઉ નિવેદનો આપતા રહે છે.

સુપ્રિમ કોર્ટે કહ્યુ તર્કહીન
સમલૈંગિકતા પર સુપ્રિમ કોર્ટે પોતાના 2013 ના ચૂકાદાને ફગાવી દેતા કહ્યુ હતુ કે કલમ 377 બ્રિટિશ કાળનો કાયદો છે અને તે હેઠળ સમલૈંગિક યૌન સંબંધો પર પ્રતિબંધ તર્કહીન અને મનસ્વી હતો. ચૂકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યુ હતુ કે ‘કોઈ પણ પોતાના વ્યક્તિત્વથી બચી નથી શકતુ, દરેક વાદળમાં ઈન્દ્રધનુષની શોધ હોવી જોઈએ. કલમ 377 મનસ્વી કાયદો છે.' ચૂકાદો વાંચતી વખતે ચીફ જસ્ટીસે કહ્યુ હતુ ‘હું જેવો છુ મને તેવો જ સ્વીકાર કરો'
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
