હલાલા, ત્રણ તલાકથી બચવા મુસ્લિમ મહિલાઓ હિંદુઓ સાથે લગ્ન કરેઃ સાધ્વી પ્રાચી
પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સાધ્વી પ્રાચીએ ફરીથી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે.
પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સાધ્વી પ્રાચીએ ફરીથી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. પૂર્વ વીએચપી નેતા સાધ્વી પ્રાચીએ મુસ્લિમ મહિલાઓને સલાહ આપી છે કે તેમણે હિંદુ યુવકો સાથે લગ્ન કરવા જોઈએ. એટલુ જ નહિ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના ભાઈ ગણાવ્યા છે. તેમણે યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે તે પ્રદેશમાં એ વાત સુનિશ્ચિત કરે કે મસ્જિદમાં કાંવડ યાત્રા દરમિયાન સ્પીકર બંધ રહે.

હાલમાં જ યુપી સરકારે 2013 મુઝફ્ફરનદગર હુલ્લડમાં લોકો સામે થયેલા કેસ પાછા લેવાના શરૂ કરી દીધા છે જેમાં સાધ્વી પ્રાચી સામે પણ કેસ હતો, સાધ્વી પ્રાચી પર હુલ્લડ દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો. સાધ્વી પ્રાચીએ કહ્યુ કે ઉત્તરપ્રદેશથી ઉત્તરાખંડ સુધી કાંવડિયા પ્રદેશભરમાં કાંવડ યાત્રા કાઢી રહ્યા છે અને ભગવાન ભોલેનાથના લગ્નની ઉજવણી કરી રહ્યા છે. મારા મોટા ભાઈ યોગીજી, જ્યાં સુધી ઉત્તરપ્રદેશમાં કાંવડ યાત્રા ચાલે ત્યાં સુધી તો મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરાવો.
હલાલા, ત્રણ તલાકનો આવશે અંત
આટલુ જ નહિ સાધ્વીએ મુસ્લિમ મહિલાઓને હિંદુઓ સાથે લગ્ન કરવાની સલાહ આપતા કહ્યુ છે કે જો તેઓ આમ કરે તો સમાજમાં ત્રણ તલાક અને હલાલા જેવી બુરાઈઓનો અંત આવશે. તેમણે કહ્યુ કે હું ઘણા લાંબા સમયથી મહિલાઓ માટે લડી રહી છુ. ત્રણ તલાકની સમસ્યાના કારણે બરેલીમાં મારી બહેન નિદા ખાન લડી રહી છે. હું તેને તમામ મહિલાઓને અપીલ કરુ છુ કે તે પોતાનો ધર્મ છોડી દે કારણકે ત્યાં તો ત્રણ તલાક થશે અથવા તો હલાલા થશે.
ફતવો બહાર પાડનારાઓનો બહિષ્કાર કરો
સાધ્વીએ કહ્યુ કે અહીં ના કોઈ તલાક છે ના કોઈ હલાલા, હિંદુ સમાજમાં આવો અહીં કોઈ ડર નથી. એવા ગંદા સમાજને છોડીને મહિલાઓની આઝાદી માત્ર તબાહ કરે છે, હિંદુ ધર્મમાં આવો, હિંદુ સમાજમાં લગ્ન કરો, સારા સંસ્કારી ઘણા સારા છોકરાઓ મળશે. તમારુ સ્વાગત છે. તેમણે એ મહિલાઓને અપીલ કરી કે જેમને ત્રણ તલાક આપ્યા છે તે પોતાનો ધર્મ છોડી દે એને એવા ધર્મગુરુઓ પર તમાચો મારે જે મહિલાઓ સામે ફતવા બહાર પાડે છે, તેમને સમ્માનપૂર્વક જીવન જીવવા માટે હિંદુ ધર્મમાં આવી જવુ જોઈએ.












Click it and Unblock the Notifications
