સળગતા સહારનપુરની ભયાનક તસવીરો
સહરાનપુર, 28 જુલાઇ: જ્યારે સંવેદનાઓ સાંપ્રદાયિક નકારાત્મકતાના રંગમાં રંગાઇ જાય તો તેમની ઉગ્રતાથી માણસાઇ ઘાયલ થઇને દમ તોડવા લાગે છે. આવો જ ભયાનક નજારો સહરાનપુરમાં જોવા મળ્યો. જ્યાં તથાકથિત સામાન્ય વિવાદે અસામાન્ય આતંક મચાવી દિધો. જાનમાલ તથા સૌહાર્દની આ ક્ષતિમાં ના જાણે કેટલાકે પોતાનું કેટલું બધુ ગુમાવી દિધું.
આગચંપીના ઘટના બાદ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો અને ઉપદ્રવીઓએને જોતાં ઠાર મારવાનો આદેશ આપી દેવામાં આવ્યા. વધારાના પોલીસ મહાનિર્દેશક (કાનૂન વ્યવસ્થા) મુકુલ ગોયલે જણાવ્યું કે આ દરમિયાન થયેલી ગોળીબારીમાં હરીશ કોચર નામના વેપારી નેતા, આરિફ તથા એક અજાણ્યા વ્યક્તિનું મોત નિપજ્યું છે.
હિંસા બે સમુદાયના લોકો વચ્ચે થઇ હતી. આ હિંસક મારામારીમાં પાંચ પોલીસકર્મી, એક સિટી મેજિસ્ટ્રેટ અને 13 અન્ય લોકોને ઇજા પહોંચી. કોન્સ્ટેબલ શેંસરપાલને ગોળી વાગતાં ગંભીર ઇજા પહોંચી, જેથી પીજીઆઇ ચંદીગઢ મોકલવામાં આવ્યા. જિલ્લા મેજિસ્ટ્રેટ સંધ્યા તિવારી અને એએસપી રાજેશ કુમાર પાંડેયએ જણાવ્યું કે ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા હતા. જુઓ ઉત્તેજિત ભીડ તથા ભયાનક નજારાની કાળજુ કંપાની દેનાર તસવીરો:

સળગ્યું સહારનપુર
બદલાતી સ્થિતિમાં કયા પ્રકારે સળગી ઉઠી માણસાઇ. સામાન્ય વિવાદ પર બંને સમુદાયોન લોકો વચ્ચે ફાટી નિકળ્યો ગુસ્સો.

દરેક તરફ નુકસાન
બેકાબૂ થયેલી પરિસ્થિતીમાં જાનમાલને તો નુકસાન થયું સાથે જ પાવન પર્વ પહેલાં આખી વ્યવસ્થા ડગમગી ગઇ.

ઠેર-ઠેર પોલીસ
દરેક ગલી ચોક પર તૈનાત પોલીસકર્મીઓએ હાલાત વ્યક્ત કર્યા કે સંવાદ કમી કે અન્ય કારણોના લીધે કયા પ્રકારે માહોલ શોકમય બની જાય છે.

વિસ્તારોમાં કર્ફ્યૂ
જ્યારે પરિસ્થિતી સામાન્ય ન થઇ તો વહિવટીતંત્રએ કડકાઇ વર્તવી પડી. સમગ્ર વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવો પડ્યો.

આગચંપી તથા પથ્થરમારો
જ્યારે બંને તરફથી સ્થિતી પર કાબૂ થયો નહી તો ખાદીને પણ હસ્તક્ષેપ કરવો પડ્યો. આગચંપી તથા પથ્થરમારો પણ થયો.

સાંપ્રદાયિક સન્નાટો
દરેક તરફ છવાયેલો સન્નાટો રજૂ કરે છે કે કયા પ્રકારે બંને સમુદાયો વચ્ચે મારમારીમાં સામાન્ય નિર્દોષ લોકો પણ પરેશાનીનો શિકાર બન્યો.

સળગી ઉઠ્યું સહારનપુર
જ્યારે સ્થિતી પર કાબૂ મેળવી શકાયો નહી તો આગચંપી પર ઉતરવી ઉપદ્રવીઓ તથા સળગી ઉઠ્યું સહારનપુર.

દુકાનો પણ ચઢી ભેંટ
ફક્ત ઘર જ નહી ઘણી દુકાનો પણ આગની ભેટ ચઢી ગઇ. બચાવ કાર્યને તક મળી શકી નહી તથા પથ્થરમારો-આગચંપીના બનાવો ચાલુ રહ્યાં.

વાહનોને નુકસાન
કર્ફ્યૂ દરમિયાન ઉપદ્રવીઓનો ગુસ્સો અટક્યો નહી તથા વાહનોને આગના હવાલે કરી બદલાની આગ ઓલવી.

ગુસ્સો
આ કારની સાથે કરવામાં આવેલો વહેવાર રજૂ કરે છે સહારનપુરની કથળતી સ્થિતી તથા ત્યાં બળજબરી જોવા મળી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
