માંસાહારી સાંઇબાબાની પૂજા ના થવી જોઇએ: સ્વરૂપાનંદ સરસ્વતી
નવી દિલ્હી, 23 જૂન: શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ શિરડીના સાંઇ બાબાને ભગવાન માનવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું છે કે સાંઇની પૂજા કરવી હિન્દુ ધર્મના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. જે શિરડીના સાંઇ બાબાની પૂજાને પ્રોત્સાહન આપી રહ્યા છે તેઓ ઇચ્છે છે કે હિન્દુ ધર્મ નબળો બને. તેઓ ભારતને હિન્દુ પ્રધાન નથી જોવા માગતા. સ્વરૂપાનંદે જણાવ્યું કે સાંઇ બાબાના નામ પર કમાણી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે હિન્દુ ધર્મના ભાગલા પાડવા માટે આ બાબતમાં વિદેશી શક્તિઓ પણ હાવી થઇ રહી છે.
હિન્દુ ધર્મમાં અવતાર અને ગુરુની પૂજા થાય છે. હિન્દુ ધર્મમાં જે 24 અવતાર થયા તેને કલિયુગમાં માત્ર બુદ્ધ અને કલ્કિનો અવતાર થયો. એવામાં સાંઇની પૂજાનો કોઇ અર્થ નથી. સાંઇ કોઇ અવતાર નથી અને તેમને ગુરુના રૂપમાં તેમને મૂલવી શકીએ નહીં. ગુરુ આદર્શવાદી હોય છે. પરંતુ સાંઇમાં એવું શું હતું? આપણે માંસાહારીને ગુરુ માનીએ શકીએ નહીં. સાંઇનું મંદિર બનાવવું યોગ્ય નથી. મંદિરના નામ પર માત્ર કમાણી જ કરવામાં આવી રહી છે. સ્વરૂપાનંદે જણાવ્યું કે બ્રિટેન હિન્દુઓને વહેંચવા માંગે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ સાંઇની પૂજા મુસ્લિમ ક્યાં કરે છે? જો મુસલમાન પણ પૂજા કરતા તો હિન્દુ-મુસ્લિમ એકતાની વાત સમજમાં આવતી. સ્વામી સ્વરૂપાનંદે લોકસભા ચૂંટણી દરમિયાન 'હર હર મોદી, ઘર ઘર મોદી'ના નારા પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ વધતા વિવાદને જોઇ મોદીએ લોકોને હર હર મોદીના નારા નહીં લગાવવાની અપીલ કરી હતી.
વાંચો શંકરાચાર્યએ શું શું કહ્યું...

સાંઇ બાબાની પૂજા એક ષડયંત્ર
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ શિરડીના સાંઇ બાબાને ભગવાન માનવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું છે કે સાંઇની પૂજા કરવી હિન્દુ ધર્મના ભાગલા પાડવાનું ષડયંત્ર છે.

ભારતને હિન્દુ પ્રધાન નથી જોવા માગતા
જે શિરડીના સાંઇ બાબાની પૂજાને પ્રોત્સાહન આપી રહ્યા છે તેઓ ઇચ્છે છે કે હિન્દુ ધર્મ નબળો બને. તેઓ ભારતને હિન્દુ પ્રધાન નથી જોવા માગતા. સ્વરૂપાનંદે જણાવ્યું કે સાંઇ બાબાના નામ પર કમાણી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે હિન્દુ ધર્મના ભાગલા પાડવા માટે આ બાબતમાં વિદેશી શક્તિઓ પણ હાવી થઇ રહી છે.

માંસાહારી(સાંઇ બાબા)ને ગુરુ માની શકાય નહીં
સાંઇની પૂજાનો કોઇ અર્થ નથી. સાંઇ કોઇ અવતાર નથી અને તેમને ગુરુના રૂપમાં તેમને મૂલવી શકીએ નહીં. ગુરુ આદર્શવાદી હોય છે. પરંતુ સાંઇમાં એવું શું હતું? આપણે માંસાહારીને ગુરુ માની શકીએ નહીં.

સાંઇની પૂજા થકી બ્રિટેન હિન્દુઓને વહેંચવા માગે છે
સાંઇનું મંદિર બનાવવું યોગ્ય નથી. મંદિરના નામ પર માત્ર કમાણી જ કરવામાં આવી રહી છે. સ્વરૂપાનંદે જણાવ્યું કે બ્રિટેન હિન્દુઓને વહેંચવા માંગે છે.

મુસ્લિમો પણ તેમને નથી પૂજતા
તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ સાંઇની પૂજા મુસ્લિમ ક્યાં કરે છે? જો મુસલમાન પણ પૂજા કરતા તો હિન્દુ-મુસ્લિમ એકતાની વાત સમજમાં આવતી.

સ્વામી 'વિવાદાનંદ'
સ્વામી સ્વરૂપાનંદે લોકસભા ચૂંટણી દરમિયાન 'હર હર મોદી, ઘર ઘર મોદી'ના નારા પર પણ આપત્તિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ વધતા વિવાદને જોઇ મોદીએ લોકોને હર હર મોદીના નારા નહીં લગાવવાની અપીલ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
