For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1984ના સિખ વિરોધી રમખાણોમાં સજ્જન કુમાર નિર્દોષ જાહેર

|
Google Oneindia Gujarati News

sajjan-kumar
નવી દિલ્હી, 30 એપ્રિલ : વર્ષ 1984માં થયેલા રમખાણોમાં અઢી હજાર સિખ લોકોની હત્યા કરાયાના લગભગ ત્રણ દાયકા બાદ, આજે દિલ્હીની કડકડડુમા કોર્ટે તે રમખાણોના એક કેસમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા છે, પરંતુ અન્ય પાંચ આરોપીને દોષી જાહેર કર્યા છે. નાણાવટી તપાસ પંચની ભલામણના આધારે સજ્જન કુમાર સામેનો કેસ ફરી ખોલવામાં આવ્યો છે.

તે રમખાણોમાં પોતાની ભૂમિકા અંગે સજ્જન કુમારે ગૂઢ મૌન જાળવી રાખ્યું છે. છેલ્લા 29 વર્ષોમાં કોંગ્રેસના આ નેતાએ તેમની સામેના આરોપ અંગે મિડિયા સાથે ક્યારેય કંઈ વાતચીત કરી નથી. તત્કાલિન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હત્યા કર્યા બાદ 1984ની 1 નવેંબરે દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારના રાજનગર મહોલ્લામાં પાંચ સિખની હત્યાના કેસમાં દિલ્હીની કોર્ટે સજ્જન કુમાર અંગે પોતાનો ચુકાદો આપ્યો છે.

સીબીઆઈએ કોર્ટમાં દલીલ કરી છે કે 1984ની 1 નવેંબરની રાત્રે સજ્જન કુમાર રાજનગર મહોલ્લામાં ગયા હતા અને ત્યાં થયેલી હિંસાનું નિરીક્ષણ કર્યું હતું, હિંસક ટોળાને ઉશ્કેર્યા હતા અને સાક્ષીઓએ જણાવ્યા મુજબ, તેમણે હુલ્લડખોરોને કહ્યું હતું કે સિખોને આશ્રય આપનાર કોઈને પણ છોડતા નહીં.

English summary
Sajjan Kumar acquitted in 1984 anti-Sikh riots case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X