‘જો કમલનાથ દોષિત છે તો મોદી પણ, પીએમ મોદી પર પણ એવા જ આરોપ'
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે જો કમલનાથ દોષિત છે તો પીએમ મોદી પણ દોષિત છે.
1984ના સિખ રમખાણો સાથે જોડાયેલા એક મામલે દિલ્લી હાઈકોર્ટની ડબલ બેંચે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત ગણાવ્યા છે. સજ્જન કુમારને રમખાણો ભડકાવવા અને ષડયંત્ર રચવાના દોષિત ગણાવીને હાઈકોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. સજ્જન કુમારને સજા સંભળાવ્યા બાદ હવે મધ્ય પ્રદેશના સીએમ ચૂંટાયેલ કમલનાથની ભૂમિકા પર પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. શિરોમણિ અકાલી દળ જ નહિ પરંતુ દિલ્લી ભાજપના પ્રવકતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ પણ કમલનાથનો વિરોધ કર્યો છે. જો કે કોંગ્રેસ પાર્ટી કમલનાથના બચાવમાં ઉતરી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે જો કમલનાથ દોષિત છે તો પીએમ મોદી પણ દોષિત છે. તેમણે ગુજરાત રમણાણોનો મુદ્દો ઉઠાવતા કહ્યુ કે પીએમ મોદી પર પણ એવા જ આરોપ લાગ્યા છે.

1984 રમખાણો મામલે સજ્જન કુમારને દોષિત ગણાવ્યા બાદ રાજકીય પારો ગરમાઈ ગયો છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ મધ્ય પ્રદેશના ભાવિ મુખ્યમંત્રી કમલનાથ પર નિશાન સાધતા કહ્યુ કે એક તરફ સિખ રમખાણોમાં સજ્જન કુમારને સજા થઈ છે પરંતુ મુશ્કેલી એ છે કે સિખ સમાજ જે બીજા નેતાને દોષિત માને છે તેને કોંગ્રેસ મુખ્યમંત્રીના શપથ લેવડાવી રહ્યા છે. આના જવાબમાં કપિલ સિબ્બલે કહ્યુ જો કમલનાથ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તો તે વાત કેન્દ્રમાં પણ થઈ રહી છે. પીએમ મોદી પર પણ એવા જ આરોપ લગાવાતા રહ્યા છે. સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. અરુણ જેટલીએ પાયાવિહોણા આરોપ લગાવવા ન જોઈએ.
કમલનાથના સીએમ પસંદ કરવાના સવાલ પર કપિલ સિબ્બલે કહ્યુ કે સમગ્ર મામલાને રાજકીય રંગ ન આપવો જોઈએ. જો કે ભાજપ આને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે સજ્જન કુમાર હવે કોઈ પદ પર નથી. જો કમલનાથ દોષિત છે તો મોદી પણ છે. પીએમ મોદી પર પણ એવા જ આરોપ છે. સમગ્ર મામલે કોંગ્રેસે ગુજરાતના રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતાએ માંગ કરી છે કે માયા કોડનાનીની પાછળ જે લોકો હતા તેમને પણ સજા મળે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
