'હું મરી ગયો તો 100 અરવિંદ પેદા થશે'

નોંધનીય છે કે કેજરીવાલના ફર્રુખાબાદ જઇને પ્રદર્શન કરવાના પડડકારને ધમકી આપતા કાયદામંત્રી સલમાન ખુર્શીદે કહ્યું હતું કે કેજરીવાલને આવું હોય તો આવે પણ પાછા નહીં જઇ શકે.
સલમાન ખાને કહ્યું કે, અત્યાર સુધી અમે કલમથી કામ કરી રહ્યાં છીએ પરંતુ સમય આવી ગયો છે કે અમે ખુનથી કામ કરીએ. કાયદામંત્રીની આ પ્રકારની ધમકી પર અરવિંદ કેજરીવાલના સહયોગી કુમાર વિશ્વાસે તીખી પ્રતિક્રિયા આપી છે.
વિશ્વાસે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લખ્યું છે કે સલમાન ખુર્શીદ દેશના (ગૈર) કાયદામંત્રી છે. વિક્લાંગોની બૈસાખી લૂંટનાર આ મંત્રી મહોદયે એક નવેમ્બરે ફર્રુખાબાદમાં પ્રસ્તાવિત રેલી માટે ધમકી આપી છે કે અત્યાસુધી કલમથી કામ કરતા હતા અને હવે ખુનથી લખશે. સાથે જ મુંબઇના ડોનની જેમ તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ફર્રુખાબાદ આવશે તો ખરા પરંતુ પાછા નહીં જાય, ફિકર નોટ મંત્રી મહોદય આવી રહ્યાં છીએ અમે..












Click it and Unblock the Notifications
