આજે પાકિસ્તાની કેદી સનાઉલ્લાહના પરિવારજનો ભારત આવશે

સનાઉલ્લાહ જમ્મુની કોટ ભલવલ જેલમાં સજા ભોગવતો હતો. ત્યાં એક ભારતીય કેદીએ એની પર હુમલો કર્યો હતો. તેને સારવાર માટે જમ્મુથી ચંડીગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સોમવારે સાંજ સુધી સનાઉલ્લાહની હાલત અત્યંત ગંભીર હતી.
આ હુમલો પાકિસ્તાનમાં સજા ભોગવતા ભારતીય કેદી સરબજીત સિંહ પરના હુમલાના બીજા જ દિવસે થયો હતો. સરબજીત સિંહ તે હુમલાને કારણે મૃત્યુ પામ્યો છે. આ સાથે એમ પણ માનવામાં આવે છે કે હકનો પરિવાર તેને પાકિસ્તાન લઇ જવાની માંગણી કરી શકે છે.












Click it and Unblock the Notifications
