For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ સંજય દત્તને મંગળવારે રાત્રે જ ગુપ્ત રીતે યરવાડા ખસેડાયો?

|
Google Oneindia Gujarati News

sanjay-dutt
મુબંઇ, 22 મે : બોલીવુડ અભિનેતા સંજય દત્તને મંગળવારે રાત્રે જ અત્યંત ખાનગીર રીતે પુનાની યરવાડા જેલમાં ખસેડવામાં આવ્યો છે. આ બાબતની પુષ્ટિ એડિશનલ આઇજી પ્રિજન મીરા બોરવનકરે કરી છે. ઉલ્લેખનીય છે કે સંજય દત્તે 16 મેના રોજ મુંબઇની ટાડા કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ તેને મુંબઇની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. દત્તને મુંબઇ 1993 બ્લાસ્ટ કેસમાં જેલની સજા ફરમાવવામાં આવી છે.

ત્યાર બાદ એવા સમાચાર મળ્યા હતા કે સંજય દત્તને તેમની ઇચ્છા અનુસાર પુનાની યરવાડા જેલમાં ખસેડવામાં અંદાજે એક મહિનાનો સમય લાગશે. આ અનુમાનનો છેદ ઉડાવીને સંજય દત્તને 21 મેના રોજ રાતોરાત સંજય દત્તને પુનાની યરવાડા જેલમાં ખસેડવાનો નિર્ણય આશ્ચર્યજનક ઉપરાંત શંકાસ્પદ પણ લાગે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય દત્તને અત્યંત ખાનગી રીતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. આમ થવાનું કારણ સરેન્ડરના સમયે મીડિયાની ઉભી થયેલી ભીડ જેવી સ્થિતિ ટાળવા માટે કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય દત્તે મંગળવારે શિફ્ટિંગ સમયે શેરવાની પહેરી હતી. તેણે ફ્રેન્ચ કટ દાઢીવાળો લૂક અપનાવ્યો હતો.

English summary
Sanjay Dutt is shifted to Pune's Yerwada jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X