સંજય રાઉત EDની કસ્ટડીમાં, કોર્ટે 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા!

શિવસેનાના નેતા સંજય રાઉત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. રવિવારની મધ્યરાત્રિએ તેમના મુંબઈના નિવાસસ્થાન પર નવ કલાક સુધી ચાલેલા દરોડા પછી રાઉતની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ : શિવસેનાના નેતા સંજય રાઉત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. રવિવારની મધ્યરાત્રિએ તેમના મુંબઈના નિવાસસ્થાન પર નવ કલાક સુધી ચાલેલા દરોડા પછી રાઉતની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ EDની ઓફિસમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આ સ્થિતિમાં સોમવારે તેમને ED ઓફિસમાંથી મેડિકલ તપાસ માટે JJ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જે બાદ કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. પાત્રા ચાલ કેસમાં સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તે બે વખત EDની પૂછપરછ માટે હાજર થયા ન હતા.

sanjay raut

શિવસેનાના નેતા સંજય રાઉતને મુંબઈની જેજે હોસ્પિટલમાં મેડિકલ તપાસ બાદ ED અધિકારીઓ દ્વારા મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સંજય રાઉતને પાત્રા ચાલ કૌભાંડ કેસમાં 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. સંજય રાઉતના વકીલ એડવોકેટ અશોક મુંદરગીએ કોર્ટને કહ્યું કે તેમની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે. તે હૃદય સંબંધિત બિમારીના દર્દી છે. તેની સર્જરી પણ થઈ હતી. આ અંગેના દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

EDના વકીલ એડ હિતેન વેણેગાંવકરે કોર્ટને જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે પૈસા (1.6 કરોડ રૂપિયા)માંથી અલીબાગના કિહિમ બીચ પર એક પ્લોટ ખરીદવામાં આવ્યો હતો. સપના પાટકરના નામે પ્લોટ લેવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પ્રવીણ રાઉત સંજય રાઉતના માણસ હતા.

EDના વકીલે દલીલ કરી હતી કે સંજય રાઉતને 4 વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓ માત્ર એક જ વાર એજન્સી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સંજય રાઉતે પુરાવા અને મહત્વપૂર્ણ સાક્ષીઓ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે EDએ રાઉતની 8 દિવસની કસ્ટડી પણ માંગી છે.

જણાવી દઈએ કે શિવસેના સાંસદની ધરપકડ પાત્રા ચાલ કેસ સાથે જોડાયેલી છે અને તેની પત્ની પણ આમાં સામેલ છે. EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંજય રાઉતને અસહકાર, નિવાસસ્થાનેથી બિનહિસાબી રોકડ મળવી અને તેના સ્થાન પરથી વાંધાજનક દસ્તાવેજોની રિકવરી બાદ ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ એજન્સીના અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે રાઉતના ઘરેથી 11.5 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી છે. જે બાદ સોમવારે વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે તેમના ભાઈએ દાવો કર્યો હતો કે અયોધ્યા પ્રવાસ માટે રોકડ એકઠી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભાજપ તેમનાથી ડરે છે અને તેમની ધરપકડ કરી લીધી છે. તેઓએ અમને કોઈ દસ્તાવેજ આપ્યા નથી. તેમને ફ્રેમ કરવામાં આવ્યા છે.

શિવસેનાના ધારાસભ્ય સુનીલ રાઉતે કહ્યું કે, ઘરમાં મળેલી રકમ એકનાથ શિંદેની છે. તે અયોધ્યા યાત્રા માટે પાર્ટીનું ફંડ હતું. શિવસેના અને બીજેપીના દાયકાઓ જૂના સંબંધો તોડ્યા બાદ સંજય રાઉત સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. જણાવી દઈએ કે રાજ્યસભા સાંસદ રાઉત ED દ્વારા બે વખત સમન્સ મોકલ્યા બાદ પણ પાત્રા ચાલ કેસમાં હાજર થયા ન હતા. રવિવારે જ્યારે તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે રાઉતે કહ્યું હતું કે તેમને આ મામલામાં કોઈ લેવાદેવા નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ શિવસેના નહીં છોડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X