એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો
જે રીતે એક્ઝીટ પોલના પરિણામ સામે આવ્યા છે તેના પર આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે.
લોકસભા ચૂંટણીના સાત તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ જે તમામ એક્ઝીટ પોલ સામે આવ્યા છે તે અનુસાર એક વાર ફરીથી ભારતીય જનતા પાર્ટીને બહુમત મળતો જોવા મળી રહ્યો છે અને એનડીએ ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે. એક્ઝીટ પોલની માનીએ તો ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને એક વાર ફરીથી પૂર્ણ બહુમતનો આંકડો મેળવવા જઈ રહી છે. ભાજપ માત્ર ગુજરાતમાં નહિ પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્લીમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે અને 7 મેથી છ સીટો જીતતી જોવા મળી રહી છે. વળી, આમ આદમી પાર્ટીના આ ચૂંટણીમાં સૂપડા સાફ થતા જોવા મળી રહ્યા છે.

જે રીતે એક્ઝીટ પોલના પરિણામ સામે આવ્યા છે તેના પર આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે એક વાર નહિ પરંતુ ઘણી વાર એક્ઝીટ પોલના પરિણામો ખોટા સાબિત થયા છે. સંજય સિંહે કહ્યુ કે એક્ઝીટ પોલના પરિણામો 2004માં બહુ ખરાબ રીતે ખોટા સાબિત થયા હતા. 2013, 2015માં પણ દિલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન એક્ઝીટ પોલના પરિણામ સંપૂર્ણપણે ખોટા સાબિત થયા હતા. દિલ્લી અને બિહારની વાત કરીએ તો ત્યાં એક્ઝીટ પોલના પરિણામો ખોટા સાબિત થયા. વળી, છતીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પણ એક્ઝીટ પોલના આ જ હાલ થયા. ત્રણ જ રાજ્યોમાં એક્ઝીટ પોલ અનુસાર ભાજપની સરકાર બની રહી હતી જ્યારે પરિણામ આનાથી અલગ સાબિત થયા.
સંજય સિંહે કહ્યુ કે એક્ઝીટ પોલના પરિણામોના આધારે કંઈ પણ કહેવુ ખોટુ છે. આપણે 23 મેની રાહ જોવી જોઈએ જ્યારે ચૂંટણીના ખરા પરિણામો સામે આવશે. સંજય સિંહે કહ્યુ કે આમ આદમી પાર્ટી દિલ્લીમાં બધી 7 સીટો પર જીત મેળવેશે. જ્યારે પંજાબના પરિણામો ચોંકાવનારા હશે. માત્ર સંજય સિંહ જ નહિ પરંતુ વિપક્ષના તમામ નેતાઓએ એક્ઝીટ પોલના પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામોની ઘોષણા 23મેના રોજ થશે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
