1 લાખ રૂપિયામાં ભગવાન સાથે Face to Face મીટિંગ કરાવતો હતો રામપાલ!
નવી દિલ્હી, 28 નવેમ્બર: આસ્થાની આડમાં પાખંડનું પ્રવચન અને પાપનો પ્રસાદ વહેંચનાર સંત રામપાલ પોતાની બાબાગિરીના દિવસોમાં કેટલા ચમત્કારી હતા એ તો તેમના ભક્ત જ જાણે છે. પરંતુ સૌથી પહેલાં પોલીસે રામપાલ અને તેમના જોડાયેલા રહસ્યોનો પટારો ખોલ્યો છે દરરોજ નવા ખુલાસ થઇ રહ્યાં છે. પરિસ્થિતી એ છે કે પોલીસ તેમના આશ્રમમાંથી એક ઇંટ હટાવે છે તો ત્યાં ઘણા નવા રહસ્યો ખૂલે છે. હવે જે જાણકારી હાથ લાગી છે તેના અનુસાર રામપાલ પોતાના ભક્તોને સ્વર્ગ મોકલવા અને ભગવાનની ઝલક બતાવવાનો દાવો કરતી હતી.
જો કે રામપાલનો આ દાવો કારણ વિના નહી પરંતુ તે આ આમ કરવા માટે ભક્તો પાસેથી મોટી રકમ ઝૂડતો હતો. તમને યાદ જ હશે કે જ્યારે પોલીસ રામપાલની ધરપકડ કરવા માટે તેના આશ્રમ ગઇ હતી ત્યારે તેના સમર્થકો પોલીસ સામે ભીડી પડ્યા હતા. જી હાં આ તે ભક્ત હતા જેમને બાબા રામપાલે સ્વર્ગના સપના બતાવ્યા હતા. આ તે જ ભક્ત હતા જેમને બાબાએ ભગવાન સાથે ફેસ ટુ ફેસ મીટિંગ કરાવવાનો વાયદો કર્યો હતો.

રામપાલની પોંજી સ્કીમ અને કમિશનના એંજડા
પાખંડી સંત રામપાલે પાપનું જે સામ્રાજ્ય ઉભુ કર્યું છે તેમાં સ્વર્ગ અને ભગવાનની મોટી ભૂમિકા હતી. રામપાલે પોંજી સ્કીમ હેઠળ એજંટોની જાળ પાથરી રાખી હતી જે તેના માટે પેડ ભક્ત શોધવાનું કામ કરતા હતા. રામપાલની આ સ્કીમમાં ફક્ત ફરક એટલો હતો કે બાબા કોઇપણ એજંટને પૈસા આપતા ન હતા. આ એજંટ બીજું કોઇ નહી પરંતુ બાબાનો તે ખાસ સમર્થક હતા જેમના પર તેમને સૌથી વધુ વિશ્વાસ રહેતો હતો.
આ એજંટ દૂર-દૂર ગામમાં જતા હતા અને ભોળા લોકોને બાબાના ચમાત્કારની કહાણીનો સંભળાવતા હતા. રામપાલના તે એજંટ ગરીબોના સપના જોતાં બાબા રામપાલ તેમના બધા દુખ અને કષ્ટ દૂર કરી શકે છે. તેમની બધી સમસ્યાઓનું સમાધાન કરે છે. બાબાના એજંટ ભોળા લોકોને ફોસલાવતા કે રામપાલ સ્વર્ગ મોકલવાની તાકાત ધરાવે છે. તે એજંટ લોકોને કહેતા કે બાબા રામપાલ ભગવાન સાથે મળાવવાની તાકાત ધરાવે છે. જેમ કે કોઇ વ્યક્તિ બાબાની ચમત્કારિક તાકાતો પર વિશ્વાસ કરી લે તો રામપાલના એજંટ તેને લઇને સતલોક આશ્રમમાં પહોંચી જતા અને પછી શરૂ થતો આસ્થા અને અંધવિશ્વાસનો ખેલ.












Click it and Unblock the Notifications
