સરબજીતનું મોત ભારતની પ્રતિષ્ઠા પર કલંક : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં જણાવ્યું છે કે 'સરબજીત પાકિસ્તાનની અતિસુરક્ષિત જેલની અંદર માર્યો ગયો. એનો અર્થ છે કે પાકિસ્તાન તેને મારવા માગતો હતો. આ પહેલા ચમેલસિંહને આ રીતે જ માર્યો ગયો હતો તથા હાલમાં પાકિસ્તાની સૈનિકોએ આપણા સૈનિકોને સરહદ પર મારી નાખ્યા હતા, અને તેમના શિરચ્છેદ કરીને લઇ ગયા હતા. '
તેમણે જણાવ્યું કે જો ભારત, પાકિસ્તાનના વૃદ્ધ અને બીમાર ચિકિત્સક ખલીલ ચિશ્તીને માનવીય આધાર પર મૂક્ત કરી શકે છે તો પાકિસ્તાન સરબજીતને મુક્ત શા માટે નથી કરી શકતી. તેમણે જણાવ્યું કે આ ભારતની પ્રતિષ્ઠા પર કલંક છે.' ઉદ્ધવે જણાવ્યું કે ભારતીય મુસલમાનોને પાકિસ્તાનની સામે પ્રદર્શન કરવાની સારી એવી તક મળી ગઇ છે.
તેમણે જણાવ્યું કે ભારતીય મુસલમાનોએ ઇસ્લામને અપમાનિત કરવા પર અમેરિકા તથા ડેનમાર્કની સામે પ્રદર્શન કર્યું હતું. ઉદ્ધવવે જણાવ્યું કે તેમણે મુંબઇ અને દિલ્હીના માર્ગો પર પ્રદર્શન કરવું જોઇએ.












Click it and Unblock the Notifications
