Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરબજીતનું મોત ભારતની પ્રતિષ્ઠા પર કલંક : ઉદ્ધવ ઠાકરે

uddhav thakeray
મુંબઇ, 3 મે: પાકિસ્તાનની જેલમાં હુમલા થયા બાદ મોતને ભેટેલા ભારતીય નાગરિક સરબજીતની મોત પર હવે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વિરોધ નોંધાવ્યો છે. ઉદ્ધવે પાકિસ્તાનની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો અને તેમનો વિરોધ નોંધાવવા લોકોને આહ્વાન કર્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં જણાવ્યું છે કે 'સરબજીત પાકિસ્તાનની અતિસુરક્ષિત જેલની અંદર માર્યો ગયો. એનો અર્થ છે કે પાકિસ્તાન તેને મારવા માગતો હતો. આ પહેલા ચમેલસિંહને આ રીતે જ માર્યો ગયો હતો તથા હાલમાં પાકિસ્તાની સૈનિકોએ આપણા સૈનિકોને સરહદ પર મારી નાખ્યા હતા, અને તેમના શિરચ્છેદ કરીને લઇ ગયા હતા. '

તેમણે જણાવ્યું કે જો ભારત, પાકિસ્તાનના વૃદ્ધ અને બીમાર ચિકિત્સક ખલીલ ચિશ્તીને માનવીય આધાર પર મૂક્ત કરી શકે છે તો પાકિસ્તાન સરબજીતને મુક્ત શા માટે નથી કરી શકતી. તેમણે જણાવ્યું કે આ ભારતની પ્રતિષ્ઠા પર કલંક છે.' ઉદ્ધવે જણાવ્યું કે ભારતીય મુસલમાનોને પાકિસ્તાનની સામે પ્રદર્શન કરવાની સારી એવી તક મળી ગઇ છે.

તેમણે જણાવ્યું કે ભારતીય મુસલમાનોએ ઇસ્લામને અપમાનિત કરવા પર અમેરિકા તથા ડેનમાર્કની સામે પ્રદર્શન કર્યું હતું. ઉદ્ધવવે જણાવ્યું કે તેમણે મુંબઇ અને દિલ્હીના માર્ગો પર પ્રદર્શન કરવું જોઇએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X