Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય પોસ્ટમોર્ટમ રિપોર્ટ : સરબજીતના શરીરમાં હ્રદય કિડની નથી

sarabjit-singh
નવી દિલ્હી, 3 મે : પાકિસ્તાનથી ગઇ કાલે ભારત લાવવામાં આવેલા સરબજીત સિંહના શરીરનું આજે ભારતીય ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. પટ્ટી ગામની હોસ્પીટલમાં સરબજીત સિંહની બોડીનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેના માથામાં 6 ઈજાના નિશાન છે. તેની છાતી પર પણ ઈજાના નિશાન મળ્યાં છે તથા મોંઢામાં પણ લોહી મળી આવ્યું છે. જો કે સરબજીતના શરીરમાં હ્રદય અને કિડની નથી, આથી તે કાઢી લેવામાં આવ્યા હશે.

પોસ્ટમાર્ટમ બાદ તેની બોડી તેના વતન ભિખીવિંડ પહોંચાડી દેવામાં આવી છે. આજે શુક્રવાર, 3 મે, 2013ના રોજ બપોરે 2 વાગે સરબજીત સિંહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સરબજીતને તેની બહેન દલબીર કૌરે મુખાગ્નિ આપ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા સરબજીતની બોડી દર્શન માટે રાખવામાં આવી હતી. સરબજીતની બોડી તેના ઘરેથી 200 મિટર દુર આવેલી સિનિયર સેંકડરી સ્કૂલમાં 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી રાખવામાં આવી હતી. સરબજીતના દર્શન માટે કેટલાય મોટા નેતાઓ આવી પહોંચ્યા હતા.

ભારતમાં સરબજીતના પોસ્ટમાર્ટમમાં એવું પણ બહાર આવ્યું કે તેના શરીરમાં કિડની અને હ્રદય પણ નથી. ડોક્ટરોનું કહેવું છે કે સામાન્ય રીતે પોસ્ટમાર્ટમ સમયે કિટની અને દિલ નિકાળી દેવામાં આવે છે, જેથી એવું બની શકે છે કે પાકિસ્તાનમાં થયેલ પોસ્ટમાર્ટમ સમયે આ બે અંગ ડોક્ટરોએ નિકાળી લીધા હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X