સતપુડા ભવનનુ તાપમાન 1000 ડિગ્રી, બિલ્ડિંગની અંદર જવુ સંભવ નથીઃ ભોપાલ પોલીસ કમિશ્નર
સતપુડા ભવનમાં લાગેલી આગની જ્વાળાઓ ઓલવાઈ ગઈ છે પરંતુ 10-12 કલાક સુધી આગની જ્વાળાઓમાં લપેટાયેલી ઈમારતનું તાપમાન 1000 ડિગ્રીએ પહોંચી ગયુ હતુ. ભોપાલ પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રા, જેઓ ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર હાજર હતા, તેમણે કહ્યું કે બિલ્ડિંગની અંદર જવુ ખૂબ જ જોખમી છે.
સતપુડા ભવનમાં સવારે 2 વાગે લાગેલી આગની ઘટના અંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સર્વત્ર ધુમાડાના ગોટેગોટા છે, જેના કારણે વધુ ભડકો થવાની સંભાવના છે.

તેમણે જણાવ્યું કે સતપુડા ભવનની બિલ્ડીંગમાં લાગેલી આગને ઓલવવા માટે સોમવારે બપોરથી તમામ ટીમો તૈયાર છે. તેમણે કહ્યું કે તમામ ટીમો રાહત અને બચાવ કાર્યમાં કામ કરી રહી છે.
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની જરૂરિયાતના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, અત્યારે તેની કોઈ જરૂર નથી. તમને જણાવી દઈએ કે સીએમ શિવરાજની પીએમ મોદી, ગૃહમંત્રી શાહ અને રક્ષા મંત્રી સાથે વાત કર્યા બાદ સેનાને બોલાવવાના સમાચાર સામે આવ્યા હતા.
તેમણે કહ્યું કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે, પરંતુ તેની તપાસ માટે નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સીએમ શિવરાજે ચાર સભ્યોની કમિટીની રચના કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત સમગ્ર સરકારી સ્ટાફ ઘટના સ્થળે હાજર હતો. અહેવાલો અનુસાર, એરપોર્ટની ફાયર ફાઇટીંગ ટીમની મદદ લેવામાં આવી હતી કારણ કે વધુ ઊંચાઇએ આગ ઓલવવી મુશ્કેલ હતી. 95 ટકાથી વધુ આગ પર કાબૂ મેળવવાને કારણે સેનાની જરૂર નથી.
સતપુડા બિલ્ડીંગ ફાયર કેસમાં, આજ તકના અહેવાલ મુજબ, એક વર્ષ પહેલા ઇમારતનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્રણ વિભાગોની ફાઈલો - આરોગ્ય વિભાગ, પરિવહન વિભાગ અને આદિજાતિ કલ્યાણ વિભાગ જે ફ્લોર પર આગ લાગી હતી તેમાં રાખવામાં આવી છે. એવી આશંકા છે કે 10-11 કલાકની આગમાં ખાતાકીય મિલકત ઉપરાંત મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
