શનિ-રવિવારે પણ વિજળી વિભાગની ઑફિસ ખુલી રહેશે, પૂરને લઈ ડ્યૂટી લગાવી
પંજાબના વિજળી અને લોક નિર્માણ મંત્રી હરભજન સિંહ ઈટીઓએ જણાવ્યું કે રાજ્યમાં પૂરને કારણે વિજળી પ્રભાવિત વિસ્તરોને કોઈપણ વિઘ્ન વિના જલદી વીજળી ફરી મળી રહે તે ઉદ્દેશ્યથી પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમમિટેડે પોતાના તમામ સ્ટોર કાર્યાલયોને આ શનિવાર અને રવિવારે ખુલા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના ઉર્જા મંત્રીએ જણાવ્યું કે આ ફેસલો વિજળી ગ્રાહકોને નિર્વિઘ્ન વિજળી ઉપલબ્ધ કરાવવા માટે જરૂરત પડવા પર સ્ટોર્સથી વિજળીનો સામાન જેવા કે ટ્રાન્સફોર્મર, થાંભલા અને કેબલ વગેરે ઉપલબ્ધ કરાવવા માટે લેવામાં આવ્યો છે.
રાજ્યના ઉર્જા મંત્રીએ કહ્યું કે પાવરકૉમના આધીન રાજપુરા, પાતડાં, રોપડ, ખન્ના અને કપૂરતલામાં સ્ટોર્સના મૉનિટરિંગ અને સપ્લાય ચાલુ રહે તે માટે સીનિયર એક્સ.ઈ.એન. સ્તરના ઑફિસર્સની ડ્યૂટી લગાવવામમાં આવી છે.












Click it and Unblock the Notifications
