બાબરી વિધ્વંસ કેસઃ અડવાણી અને ઉમા ભારતીની મુશ્કેલી વધશે?
સુપ્રીમ કોર્ટની સુનવણીમાં બાબરી વિધ્વંસના આરોપી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત અન્ય સાત લોકો સામે આ મામલે નિર્ણય લેવાશે.
ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ ફરી એકવાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિધ્વંસ નો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટે સૂચવ્યું હતું કે, આ મુદ્દાનો ઉકેલ પરસ્પર સમજુતીથી આવવો જોઇએ. જરૂર પડ્યે કોર્ટે મધ્યસ્થી બનવાની તૈયરી બતાવી છે. હવે ગુરૂવારના રોજ આ અંગે સુનવણી થશે કે, વર્ષ 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ મામલે આરોપી રહેલાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધાશે કે કેમ?

ઉલ્લેખનીય છે કે, આ મામલે પહેલાં જ એક સુનવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દા પર પહેલી નજરમાં નેતાઓને આરોપમુક્ત કરવા યોગ્ય નહીં ગણાય. સુપ્રીમ કોર્ટે સાથે જ એમ પણ કહ્યું હતું કે, સીબીઆઇને આ મામલે નીચલી અદાલત તરફથી લેવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ સમયસર એક સપ્લિમેન્ટ્રિ ચાર્જશીટ દાખલ કરવી જોઇતી હતી. નીચલી અદાલતે ટેક્નિકલ ગ્રાઉન્ડ પર આ તમામ નેતાઓને આ કેસમાંથી આરોપમુક્ત કર્યાં હતા, જે પછી હાઇકોર્ટે પણ આ નિર્ણય માન્ય ઠરાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સીબીઆઇને આ મામલે તમામ 13 આરોપીઓ વિરુદ્ધ અપરાધનું કાવતરું ઘડવા બદલ ચાર્જશીટ દાખલ કરવાનું કહ્યું હતું. સાથે જ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે બે અલગ-અલગ અદાલતોમાં ચાલી રહેલી સુનવણી અંગે સવાલ કરતાં પૂછ્યું હતું કે, રાયબરેલીમાં ચાલી રહેલ બાબરી મસ્જિદની સુનવણીને લખનઉ ટ્રાન્સફર કરવામાં આવે તે કેવું? લખનઉમાં આની સાથે જોડાયેલા મામલાની સુનવણી ચાલી રહી છે અને માટે જ સુપ્રીમ કોર્ટ આ બંન્ને મામલાની સુનવણી એક સાથે કરવા માંગે છે.
જો કે, લાલકૃષ્ણ અડવાણીએઆનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આમ કરવા માટે 183 સાક્ષીઓને ફરીથી બોલાવવા પડશે, જે ખૂબ મુશ્કેલીભર્યું કામ છે. હવે આજની કાર્યવાહી બાદ આ મામલે અંતિમ નિર્ણય ગુરૂવારે લેવાશે.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
