રાજીવ ગાંધીના હત્યારાઓનો નિર્ણય બંધારણીય સમિતી કરશે : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 25 એપ્રિલ : દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓ જેલમાં જ રહેશે કે છૂટી જશે આ અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે બંધારણીય સમિતિને સોંપી દીધો છે. દોષીઓને મુક્ત કરવા કે સજા આપવી તે અંગેની સત્તા રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકારને આ અંગેનો નિર્ણય હવે આ સમિતિ કરશે.
નિવૃત્તિના એક દિવસ પહેલા ચીફ જસ્ટિસ પી સદાશિવમની અધ્યક્ષતાવાળી બેંચે આજે શુક્રવાર 25 એપ્રિલ, 2014ના રોજ સવારે તમિલનાડુ સરકાર દ્વારા આ વી શ્રીહરન ઉર્ફે મુરુગમ, એજી પેરારીવલન અને ટી સંથદ્રારાજા ઉર્ફે સંથનને સમય કરતા વહેલા છોડવાના નિર્ણયની કાયદેસરતાને ચકાસવા તેને સંવિધાન પીઠને મોકલી આપ્યો છે. ત્યાં સુધી ત્રણે ગુનેગારોએ જેલમાં રહેવું પડશે.
અગાઉ સુપ્રીમ કોર્ટે આ આરોપીઓના સજા માફીમાં વિલંબને પગલે તેમને મુક્ત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો. જે બાદ તામિલનાડુ સરકારે હત્યાકાંડના મુખ્ય દોષીઓ વી શ્રીહરન ઉર્ફે મુરુગમ, એજી પેરારીવલન અને ટી સંથદ્રારાજા ઉર્ફે સંથનને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.

રાજ્ય સરકારના નિર્ણય સામે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપીલ કરી હતી, જે અંગે કોર્ટ આજે બંધારણીય સમિતિને આખો મામલો સોંપી દીધો છે.
કેન્દ્ર સરકારની દલીલ હતી કે આ કેસની તપાસ સીબીઆઈએ કરેલી છે આથી તેની પરવાનગી વિના રાજ્ય સરકાર દોષીઓને મુક્ત ન કરી શકે. આ સાથે જ કેન્દ્રએ કહ્યું કે રાજીવની હત્યા ખૂબ ગંભીર કૃત્ય છે અને આ માટે દોષીઓને માફી ન હોઈ શકે.
અગાઉ સુપ્રીમ કોર્ટે 18 ફોબ્રુઆરી, 2014ના રોજ રાજીવ ગાંધીની હત્યાના ત્રણ દોષીઓ મુરુગન, સાંથન અને પેરારિવલનની ફાંસીની સજા રદ કરી દીધી હતી.
નોંધનીય છે કે 21 મે, 1991માં ચેન્નઈ નજીક શ્રીપેરંબદૂરમાં રાજીવ ગાંધીની આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ દ્વારા હત્યા કરવામાં આવી હતી. અહીંની વિશેષ કોર્ટે આ કેસને ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ એટલેકે પોટા હેઠળ જાન્યુઆરી 1998માં તમામ 26 લોકોને દોષી જાહેર કરતા મોતની સજા સંભળાવી હતી.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
