નારાયણ રાણેના નિવેદન ઉપર હંગામો: નાસિકમાં BJPની ઓફીસ પર પથ્થરમારો, ભાજપ-શિવસેનાના કાર્યકર્તા સામ-સામે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અંગે નારાયણ રાણેના નિવેદનને લઈને રાજકીય હોબાળો વધી રહ્યો છે. મંગળવારે શિવસેનાના કાર્યકર્તાઓએ નાસિકમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કર્યો અને નારાયણ રાણે વિરુદ્ધ નારા પણ લગાવ્યા. રાણેના
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અંગે નારાયણ રાણેના નિવેદનને લઈને રાજકીય હોબાળો વધી રહ્યો છે. મંગળવારે શિવસેનાના કાર્યકર્તાઓએ નાસિકમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કર્યો અને નારાયણ રાણે વિરુદ્ધ નારા પણ લગાવ્યા. રાણેના નિવેદન સામે ગુસ્સો વ્યક્ત કરતા 4-5 શિવસૈનિકો નાસિકમાં ભાજપ કાર્યાલયની બહાર પહોંચ્યા અને પછી ભારે પથ્થરો વડે કાર્યાલય પર હુમલો કર્યો. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
રાણેના ઘરની બહાર શિવસેનાના કાર્યકરો ભેગા થયા
બીજી બાજુ મુંબઈમાં ભાજપ અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ શરૂ થઈ છે. શિવસેના અને ભાજપના કાર્યકરો નારાયણ રાણેના ઘરની બહાર ભેગા થવા લાગ્યા હતા. રાણેના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. મુંબઈ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં ભાજપ-શિવસેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણના અહેવાલો છે.
|
નારાયણ રાણે વિરુદ્ધ ત્રણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે મહારાષ્ટ્ર પોલીસે નારાયણ રાણે વિરૂદ્ધ 3 પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. નારાયણ રાણે વિરુદ્ધ પુણે, રાયગઢ અને નાસિકમાં કેસ નોંધાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ હવે નારાયણ રાણેની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાસિકના પોલીસ કમિશનરે પણ આદેશ આપ્યો છે કે નારાયણ રાણેની વહેલી તકે ધરપકડ કરવામાં આવે.
શું છે મામલો?
આ સમગ્ર રાજકીય ઉથલપાથલ નારાયણ રાણેના નિવેદનને કારણે ઉભી થઈ છે. સોમવારે, જન આશીર્વાદ યાત્રા દરમિયાન, તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે કહ્યું હતું, "... જો હું ત્યાં હાજર હોત, તો મેં જોરથી થપ્પડ મારી હોત" તેમણે પૂછ્યું કે આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા, જો હું ત્યાં હાજર હોત, મેં જોરથી થપ્પડ મારી હોત. હવે નારાયણ રાણેના આ નિવેદન પર હંગામો મચી ગયો છે.