લખનઉમાં 10 ફેબ્રુઆરી સુધી કલમ 144 લાગુ, ગણતંત્ર દિવસ- વસંત પંચમી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને આદેશ
ઉત્તર પ્રદેશમાં પ્રજાસત્તાક સહિતના તહેવારોને ધ્યનમાં રાખીને કલમ 144 લાગુ કરી દેવામા આવી છે તેની પાછળનું કારણ તહેવાોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામા આવ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મહિને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા કડક કરી દીધી છે. તેમણે લખનઉમાં 10 ફેબ્રુઆરી સુધી ધારા 144 લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તેમના નિર્દેશ પર રાજધાની લખનઉમાં ગણતંત્ર દિવસ, વસંદ પંચમી અને અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રણોને ધ્યાનમાં રાખીને 10 ફેબ્રુઆરી સુધી ધારા 144 લાગુ રહેશે.
ગયા મહિને ડિસેમ્બરમાં પણ લખનઉમાં ધારા1 144 લાગુ કરવામાં આવી હતી. ગયા મહિનાના તહેવારોને જોતાઆ પ્રતિબંધ 10 જાન્યુઆરી સુધી લંબાવામાં આવ્યો હતો. આ પ્રતિબંધને જિલ્લા તંત્રએ આદેશ આપીને પ્રતિબંધ લગાવ્યો હતો. આદેશનુ પાલન કરી શકાય તે માટે જવાબદારી પણ નક્કી કરવામાં આવી હતી.
લખનઉ જિલ્લા વહીવટી તંત્ર તરફથી બહાર પાડવામાં આવેલ આદેશ મુજબ ક્રિસમસ ડે, ગુરુ ગોવિંદ સિંહ જયંતી અને નવવર્ષ 2023 નાં સંબઁધિત વિવિધ કાર્યક્રમ-ત્યોહાર, વર્વનું આયોજન થશે. સાથે જ વિવિધ પ્રવેશ પરીક્ષાઓ પણ આયોજન કરવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને લખનઉમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.