હિન્દુ બહુમતીમાં છે ત્યાં સુધી જ લોકશાહી છે-નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દેશના બંધારણ, બિનસાંપ્રદાયિકતા અને કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે ત્યાં સુધી બંધારણ, બિનસાંપ્રદાયિકતા અને કાયદાની વાતો ચાલશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દેશના બંધારણ, બિનસાંપ્રદાયિકતા અને કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે ત્યાં સુધી બંધારણ, બિનસાંપ્રદાયિકતા અને કાયદાની વાતો ચાલશે. જો હિન્દુઓ લઘુમતી બની જાય, તો તેમાંથી કંઈ બાકી રહેશે નહીં. પટેલે કહ્યું કે, આ લખીને રાખો.. જો હિન્દુઓની સંખ્યા ઓછી થઈ જાય, તો તે દિવસે કોઈ કોર્ટ, કોઈ કાયદો, કોઈ લોકશાહી, કોઈ બંધારણ નહીં હોય.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજધાની ગાંધીનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ભારત માતા મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આ વાત કહી હતી. સેંકડો લોકો સામે પટેલે કહ્યું કે, એકવાર હિન્દુ સમુદાય લઘુમતી બની જાય, પછી કંઇ જ રહેશે નહીં. તેમણે આગળ કહ્યું કે, અત્યારે અમારી પાસે લાખો મુસ્લિમ દેશભક્તો છે, લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે. ગુજરાત પોલીસ દળમાં પણ હજારો મુસ્લિમો છે, તે દેશભક્ત છે. હું આ વિશે વાત નથી કરતો, પણ હું તમને કહી દઉં, જો તમે વિડિયો રેકોર્ડ કરવા માંગતા હોવ તો તે કરો, આ શબ્દો નોંધો કે, જે કોઈ બંધારણ, બિનસાંપ્રદાયિકતા અને કાયદા વિશે વાત કરી રહ્યું છે તે ત્યાં છે જ્યાં સુધી દેશમાં હિન્દુ બહુમતી છે. જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટી જશે, ત્યાર પછી ધર્મનિરપેક્ષતા નહીં, લોકસભા નહીં, બંધારણ નહીં. બધું પવનમાં ઉડી જશે, દફનાવી દેવામાં આવશે. કશું બચશે નહીં.
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વીએચપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના નેતાઓ ત્યાં હાજર હતા જ્યારે તે બોલી રહ્યા હતા. પટેલ લગભગ 37 મિનિટ સુધી બોલ્યા. તેમના ભાષણમાં તેમણે એમ પણ કહ્યું કે, "હું દરેકની વાત નથી કરી રહ્યો. હું માનું છું કે આપણી પાસે લાખો મુસ્લિમો અને ખ્રિસ્તી દેશભક્તો પણ છે. હજારો મુસ્લિમો સેનામાં અને ગુજરાત પોલીસ દળમાં છે. તેઓ દેશભક્ત છે. પણ હું એ પણ સ્પષ્ટપણે કહું છું કે જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટશે તે પછી ધર્મનિરપેક્ષતાની કોઈ વાત નહીં થાય, અહીં કોઈ લોકસભા કે બંધારણ નહીં હોય, બધું હવામાં ઉડાડવામાં આવશે. કંઈ નહીં હોય!
નીતિન પટેલે ગુજરાતના ધર્માંતરણ વિરોધી કાયદા એટલે કે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2021 પર પણ નિવેદન આપ્યું હતું. રાજ્ય સરકારે લગ્ન દ્વારા બળજબરીથી ધર્માંતરણ અટકાવવા માટે આ કાયદો બનાવ્યો હતો. આ કાયદાની જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી કેટલીક અરજીઓને પગલે, હાઇકોર્ટે એક્ટની અમુક કલમો પર રોક લગાવી છે. સરકારનું કહેવું છે કે તે આ મામલે હાઇકોર્ટ સામે સુપ્રીમ કોર્ટમાં જશે.
ધર્માંતરણ વિરોધી કાયદા પર બોલતા પટેલે કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે, આ કાયદાને પડકારતી રિટ અરજી એક સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી. હું તે સંસ્થાને પૂછવા માંગુ છું કે જો હિન્દુ છોકરીઓ હિન્દુઓ સાથે લગ્ન કરે, મુસ્લિમ છોકરીઓ મુસ્લિમ સાથે લગ્ન કરે, ખ્રિસ્તી છોકરીઓ ખ્રિસ્તીઓ સાથે લગ્ન કરે, શીખ છોકરીઓ શીખો સાથે લગ્ન કરે તો તેમને શું વાંધો છે? હું સ્પષ્ટ કરું છું કે જો કોઈ હિન્દુ છોકરો છેતરપિંડી કરીને મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરે તો તેને પણ આ કાયદો લાગુ પડે છે. તેથી આ કાયદો કોઈ ખાસ ધર્મ માટે નથી, પરંતુ બધાને ન્યાય આપશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
