સ્કૂલ પર દેશદ્રોહનો કેસ, પોલીસે બાળકોને પૂછ્યા સવાલ
સ્કૂલ પર દેશદ્રોહનો કેસ, પોલીસે બાળકોને પૂછ્યા સવાલ
બીદરઃ કર્ણાટકના બીદરમાં એક સ્કૂલ અને તેના પ્રબંધન વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો છે. આ મામલે પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે. જેમાં 9 વર્ષની એક બાળકીની મા નજુમુન્નિસા અને બીજી મહિલા સ્કૂલની પ્રિન્સિપલ ફરીદા બેગમ છે. 9 વર્ષની આ બાળકી રડવા લાગી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેની મા ક્યાં છે. નજુમુન્નિસા પર આરોપ છે કે તેણે ક્લાસમાં વિદ્યાર્થીઓ પાસે સીએએ વિરુદ્ધ નાટકનું મંચન કરાવ્યું, જેમાં પીએમ મોદીને અપમાનિત કરવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે બાળકોની પૂછપરછનો મામલો પણ ચર્ચામાં છે.

દેશદ્રોહના મામલે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 2ની ધરપકડ
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પ્રિન્સિપલની ધરપકડ બાદ પોલીસ દરરોજ શાહીન ઉર્દૂ સ્કૂલમાં આવી રહી છે. પોલીસે એ ચપ્પલ પણ જપ્ત કરી લીધી છે જે દેખાડીને નાટકમાં કહેવામાં આવ્યું હતું કે, 'કાગળ માંગશો તો જૂતાં મારશુ'. બીદર જેલમાં બંધ 9 વર્ષના બાળકની મા નજુમુન્નિસાએ કહ્યું કે તેને નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી વિશે વધુ જાણકારી નથી. તેમણે કહ્યું કે આ કાનૂન વિશે એકવાર મેં ટીવીમાં સાંભળ્યું હતું. નજુમુન્નિસાની દીકરી સહિત 6 લોકોને એક નાટક માટે પસંદ કરવામાં આવ્યા હતા.

'નજુમુન્નિસાએ શું તૈયાર કર્યું, ખબર નથી'
નજુમુન્નિસાએ કહ્યું કે તેમની 9 વર્ષની દીકરીએ ટીવી પર જે સાંભળ્યું તે જ નાટકમાં બોલવાનો નિર્ણય લીધો. આ નાટક માટે ઘરે પણ કેટલીયવાર પ્રેક્ટિસ કરવામાં આવી. જ્યારે પોલીસનું કહેવું છે કે ધોરણ 5ની વિદ્યાર્થિનીના નિવેદનના આધારે નજુમુન્નિસાની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેણે કહ્યું હતું કે તેની માતાએ આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. બાળકીએ કહ્યું હતું કે માએ જ નાટકમાં જૂતે મારેંગે બોલવા માટે કહ્યું હતું. બીજી તરફ પ્રિન્સિપલ ફરીદા બેગમનું કહેવું છે કે નાટકમાં બાળકો શું કહેવાના છે તે એમને ખબર નહોતી. તેમણે કહ્યું કે નજુમુન્નિસાએ શું તૈયાર કર્યું હતું તેની જાણકારી નથી.

સ્કૂલ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો
શાહીન ગ્રુપના સ્કૂલના બાળકોએ નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ એક નાટકનું મંચન કર્યું હતું, જેમાં કથિત રીતે પ્રધાનમંત્રી મોદીને અપમાનિત કરવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર્તા નીલેશ રક્ષ્યાલની ફરિયાદ પર પોલીસે સ્કૂલ અને તેના મેનેજમેન્ટ વિરુદ્ધ મામલો નોંધી લીધો હતો. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું કે નાટકમાં નાના-નાના બાળકો એવા પ્રકારે વાતો કરતા જોવા મળ્યા કે સીએએ-એનઆરસી લાગૂ થવાથી મુસલમાનોને દેશથી બહાર કાઢી મૂકવામાં આવશે. આ નાટકમાં એક બાળકી પોતાની વાત કરતા પીએમ મોદી વિરુદ્ધ અસભ્ય ભાષા બોલતી જોવા મળી. આ નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
