24મી જાન્યુઆરીએ સિલેક્શન પેનલની બેઠક, નવા સીબીઆઈ ચીફનો ફેસલો થશે
24મી જાન્યુઆરીએ સિલેક્શન પેનલની બેઠક, નવા સીબીઆઈ ચીફનો ફેસલો
નવી દિલ્હીઃ સીબીઆઈ ચીફના પદ પરથી આલોક વર્માને હટાવ્યા બાદ હવે નવા સીબીઆઈ પ્રમુખ કોણ હશે તેને લઈ અંદાજો લગાવવો શરૂ થઈ ગયો છે. નવા સીબીઆઈ પ્રમુખની નિયુક્તિને લઈ 24મી જાન્યુઆરીએ સિલેક્શન પેનલની બેઠક થશે. જેમાં નવા સીબીઆઈ પ્રમુખના નામ પર મોહર લાગી શકે છે. હાલ એમ નાગેશ્વર રાવને ઈન્ટર્ન નિદેશક બનાવવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે આલોક વર્મા પર આરોપ લાગ્યા બાદ પીએમ મોદીની આગેવાનીવાળી ઉચ્ચ સ્તરીય સિલેક્શન કમિટીએ તેમને સીબીઆઈના નિદેશક પદેથી હટાવી દીધા હતા. ત્રણ સભ્યોવાળી કમિટીએ ભ્રષ્ટાચારના આરોપો પર આલોક વર્માને સીબીઆઈના ડિરેક્ટર પદ પરથી હટાવવાનો ફેસલો 2-1થી લીધો હતો. જે બાદ એમ નાગેશ્વર રાવને સીબીઆઈના ઈન્ટર્ન નિદેશક નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા.
જ્યારે નાગેશ્વર રાવની નિયુક્તિને લઈ રાજકારણ ગરમાયું હતું. NGO કૉમન કૉઝે પ્રશાંત ભૂષણ દ્વારા આ નિયુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયા થઈ ગઈ છે અને આગામી અઠવાડિયે આના પર સુનાવણી થશે. NGO કૉમન કોઝે વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી એમ નાગેશ્વર રાવની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા.
આ પણ વાંચો- વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્ય સરકારે અનિલ અંબાણી અને પાકિસ્તાનનું પત્તુ કાપ્યુ