સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાાયમ સિંહ યાદવનુ 92 વર્ષની વયે નિધન
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાાયમ સિંહ યાદવનુ નિધન થઈ ગયુ છે.
લખનઉઃ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાાયમ સિંહ યાદવનુ નિધન થઈ ગયુ છે. તેઓ 92 વર્ષના હતા. મુલાયમ સિંહ યાદવે પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમનુ મોત રવિવારે રાતે થયુ હતુ. તેઓ યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નજીક ગણાતા. તે વર્ષ 1949માં પહેલી વાર સરપંચ બન્યા હતા અને જીવનભર સક્રિય રાજનીતિમાં રહ્યા. જો કે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી.

મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર ઓરૈયા જિલ્લામાં તેમના ગામમાં થયા. આ દરમિયાન પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા. મુલાયમ સિંહ માત્ર 21 વર્ષની ઉંમરે પહેલી વાર વર્ષ 1949માં સરપંચ બન્યા હતા. 24 વર્ષ સરપંચ રહ્યા બાદ તે 15 વર્ષ સુધી બ્લૉક પ્રમુખ રહ્યા અને પછી 20 વર્ષ સુધી વિધાનમંડળ સભ્ય એટલે કે એમએલસી રહ્યા.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. માહિતી મુજબ હાલમાં જ તેઓ કાનપુરની હોસ્પિટલમાંથી પાછા આવ્યાહતા પરંતુ તબિયત ફરીથી બગડી ગઈ હતી. પાર્ટી નેતૃત્વએ તેમના નિધન પર પરિવારને શોક સંદેશ મોકલ્યો.
समाजवादी पार्टी के राष्ट्रीय अध्यक्ष एवं पूर्व मुख्यमंत्री श्री अखिलेश यादव ने समाजवादी पार्टी जिला औरैया के वरिष्ठ नेता एवं पूर्व एमएलसी श्री मुलायम सिंह यादव निवासी कढ़ोरे का पुरवा के निधन पर गहरा दुःख जताते हुए शोक संतप्त परिवार के प्रति ....https://t.co/V4hB59D7u0
— Samajwadi Party (@samajwadiparty) October 4, 2020












Click it and Unblock the Notifications
