ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
મોદી આજે મન કી બાત કરશે
આજે મન કી બાતમાં પીએમ નરેન્દ્ર મોદી 24મું સંબોધન કરશે. જેનું જીવંત પ્રસારણ 11 વાગ્યેથી આકાશવાણીમાં કરશે. ઉરી પર થયેલા હુમલા વિશે મન કી બાતમાં હૈયાવરાળ ઠાલવશે. કાર્યક્રમ માટે દેશવાસીઓ પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યાં છે.
ભાજપની રાષ્ટ્રીય પરિષદનો આજે અંતિમ દિવસ
કેરળના કોઝિકોડમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય પરિષદનો આજે 3જો અને અંતિમ દિવસ છે. આજે 10 વાગ્યે આ બેઠકની શરૂઆત થઇ રહી છે. આ બેઠકમાં આજે એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવશે કે જેના ફોકસ ગરીબોના કલ્યાણ અને રાષ્ટ્રીય સુરક્ષા પર હશે.
આજે ઇસરોના સ્કેટસેટને અંતરિક્ષમાં તરતો મુકાશે
ઇસરોના સ્કેટસેટ-1ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉનનો આરંભ થઇ ગયો છે. પીએસએલવી-સી35/સ્કેટસેટ-1 માટે 48 કલાકના કાઉન્ટડાઉનનો આરંભ થઈ ગયો છે. પીએસએલવીનું આ પ્રથમ મિશન છે કે જેમાં બે જૂદી જૂદી કક્ષાઓમાં ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરનાર છે. સ્કેટસેટનું વજન 377 કિલો છે.
ટ્રીપલ તલાક છે અત્યાચાર, સતીપ્રથાની જેમ પ્રતિબંધ મૂકો : શિયા મુસ્લિમ લૉ બોર્ડ
સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ સમાજના વિવાદીત ટ્રીપલ તલાક કેસ અંગે અખિલ ભારતીય શિયા પર્સનલ લૉ બોર્ડનું નિવેદન આવ્યું છે. બોર્ડે કહ્યું છે કે હિંદુ સમાજમાં સતી પ્રથાને પ્રતિબંધીત કરવામાં આવી છે. મુસ્લિમ સમાજમાં ત્રણ તલાકની પ્રથાને બંધ કરવામાં આવે. ટ્રીપલ તલાક મહિલાઓના અધિકારોનું હનન કરે છે.
પંજાબમાં મળ્યું જાસૂસ કબૂતરઃ પીંછા પર કેટલાક ઉર્દુમાં શબ્દો મળ્યા
ભારત-પાકિસ્તાનના તણાવની વચ્ચે એક જાસૂસ કબૂતરે ભારતીય ઇન્ટેલિજન્સના હોશ ઉડાવી દીધા છે. આ કબૂતર પંજાબના હોશિયારપુરમાં પકડવામાં આવ્યું છે. તેની પાંખ પર ઉર્દુમાં કેટલાક શબ્દો લખેલા છે. પોલિસને શંકા છે કે કબૂતર પાકિસ્તાનથી આવ્યું છે.
ભોપાલની બેરોજગાર દિવ્યાંગે PM મોદી પાસે માંગી ઇચ્છામૃત્યુની મંજુરી
મધ્યપ્રદેશના ભોપાલની દિવ્યાંગ લક્ષ્મી યાદવે પીએમ મોદી, રાષ્ટ્રપતિ તથા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી છે. બંને પગે અસમર્થ લક્ષ્મીએ એલએલએમ અને એમ. ફિલ સુધીનો અભ્યાસ કર્યો છે. આટલો અભ્યાસ કરવા છતા તેને કામ ન મળતું હોવાથી લક્ષ્મીએ ઈચ્છામૃત્યુની માગણી કરી છે.
આંધ્ર પ્રદેશઃ વરસાદના પગલે 17નાં મોત
તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના પગલે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. હૈદરાબાદમાં રસ્તાઓમાં પાણી ભરાઇ જતાં જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. કૃષ્ણાનદીમાં પાણીની સતત આવક વધી રહી છે. રેલવેના પાટા પર પણ પાણી ફરી વળ્યાં હોવાથી રેલ સેવા પ્રભાવિત થઇ છે.